SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ मोहरिते सच्चवयणस्स पलिमंथू ૧૫૩ આંતરમન અજાણતાં ખરા સ્વરૂપે પ્રગટ થાય છે. વાચાળ માણસો શરૂઆતમાં સારી સોબત જમાવે છે અને એમનું મિત્રવર્તુળ વાહવાહ કરવા લાગે છે, પરંતુ સમય જતાં મિત્રો-સોબતીઓ પણ તેને ઓળખી જાય છે અને ખપ પૂરતી કે સ્વાર્થ પૂરતી એને સોબત આપી પછી દૂર ચાલ્યા જતા હોય છે. બહુ બોલકા માણસ માટે એક ચીની લેખક ચુઆંગભેએ કહ્યું છે કે-“A dog is not considered a good dog, because he is a good barker. મુખરતાનો એક મોટો અવસર તે રાજદ્વારી ચૂંટણીઓના પ્રચાર વખતનો છે. દરેક ઉમેદવાર પોતાને મત મળે તે માટે સ્થળે સ્થળે ભાષણો કરતો, સભાઓને સંબોધતો ફરે છે. સતત બોલવાનો એનો એવો મહાવરો થઈ જાય છે કે તે પછી કઈ સભામાં પોતે શું બોલ્યા તેનું પણ તેને સ્મરણ રહેતું નથી. ચૂંટણીપ્રચાર વખતે લોકોને જાતજાતનાં વચનો અપાય છે, પરંતુ પછીથી એ વચનોનું પાલન થતું નથી કે ઇરાદાપૂર્વક કરવામાં આવતું નથી. પોતાનું બોલેલું ન પાળવું એ પણ એક પ્રકારનું અસત્ય છે. રાજદ્વારી પુરુષો અસત્યનો કેટલો બધો આશ્રય લે છે અને સત્યનો કેટલો બધો ઘાત કરે છે તે આપણા જાહેર જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. કેટલાક માણસોને એમનો વ્યવસાય વાચાળ બનવાની ફરજ પાડે છે. બોલે તેના બોર વેચાય એ જૂનો રૂઢ પ્રયોગ આજે પણ એટલો જ સાચો છે. પોતાની ચીજવસ્તુઓની પ્રશંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy