SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ભાવની દૃષ્ટિએ સત્યની મર્યાદા ઓળંગી જશે અને અસત્યની હદમાં પ્રવેશી જશે તે કહી શકાય નહિ. સત્ય અને અસત્યની વચ્ચે ભેદરેખા એટલી સૂક્ષ્મ હોય છે કે વાચાળ માણસ એ ભેદરેખા ઓળંગીને ક્યારે અસત્યના વાડામાં પુરાઈ જશે એની એને પોતાને પણ ખબર પડતી નથી. મુખરતાની સાથે બીજાના સદ્ગુણો પ્રત્યે દ્વેષનો ભાવ આવે તો તેવી મુખરતા તો એથી પણ ભયંકર છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અઢાર પાપસ્થાનકની સક્ઝાયમાં કહ્યું છે કેજે બહુ મુખરી રે, વળી ગુણ-મત્સરી, અભ્યાખ્યાની હોય છે, પાતક લાગે રે અણકીધાં સહી, તે કીધું સવિ ખોય છે. કેટલાક માણસો બહુ બોલકા હોય છે. બોલકા માણસો સારી સંગત જમાવી શકે છે. અજાણ્યા માણસને પણ આવા તડાકા જ્યારે ચાલતા હોય ત્યારે તેવા ટોળામાં જોડાઈને સાંભળવાનું ગમે છે. બોલકા માણસોની જ્યારે પ્રશંસા થાય છે ત્યારે તે ઓર ખીલે છે અને વધુ ને વધુ બોલવા લાગે છે. પરંતુ જેમ એ વધુ બોલે છે તેમ તેમ તેનાં વચનોમાં, તેની વાણીમાં અતિશયોક્તિરૂપી અસત્ય પ્રવેશે છે. ઉપરાંત અભિમાન, ઈર્ષા, દ્વેષ, દંભ વગેરે દુર્ગુણો પણ તેની વાણીમાં પ્રવેશવા લાગે છે. ક્યારેક એવે વખતે એવા મુખરી મનુષ્યનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy