________________
૨ ૯૪
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
તેવી અન્ય કોઈ ધર્મમાં નથી. આયંબિલની વાનગીઓ દિવસમાં એકને બદલે બે વાર આરોગે તો પણ કેટલાકને તે અરુચિકર થાય છે. પરંતુ જૈન ધર્મમાં વર્ષમાં બે વાર આયંબિલની ઓળીમાં ગામે ગામ સેંકડો, હજારો માણસો આયંબિલ કરે છે. કેટલાક સાધુ મહાત્માઓ અને ગૃહસ્થો વર્ધમાન તપની એકસો સુધીની આયંબિલની ઓળી કરે છે. કેટલાક તો બે કે ત્રણવાર એવી ઓળી કરે છે. આહારસંજ્ઞાને જીતવાનો તથા કર્મની નિર્જરાનો આ એક અમૂલ્ય ઉપાય અને અવસર ગણાય છે.
આહારસંજ્ઞાની મંદતાથી કાયાની મમતા ઘટે છે અને કાયાની મમતા ઘટતાં તપધર્મની આરાધનામાં રસ પડે છે, આરાધના સારી રીતે થાય છે.
ભોજન કરવાના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે: (૧) સિંહ ભોજન–ભોજન સામગ્રીમાંથી સિંહની જેમ કોઈ પણ એક બાજુથી ધીમે ધીમે ખાવું.
(૨) વાનર ભોજન-જેવું હાથમાં આવ્યું કે તરત અધીરાઈથી ખાવા મંડી પડવું.
(૩) હસ્તિ ભોજન- હાથીની જેમ ઉપેક્ષાથી કે ઉદાસીનભાવથી ખાવું. (૪) કાક ભોજન-કાગડાની જેમ ચૂંથી ચૂંથીને ખાવું. (૫) શુગાલ ભોજન-શિયાળની જેમ ઘડીકમાં એક બાજુથી અને ઘડીકમાં બીજી બાજુથી ખાવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org