________________
णाइमत्त पाण भोयण भोड़ से निग्गंथे ।
લાગે છે અને એમાંથી કેટલાક અનર્થો સર્જાય છે.
શરીરમાં ગયેલો અન્નનો દાણો એનું કાર્ય કર્યા વગર રહેતો નથી. કેટલાક પ્રકારનું ભોજન તામસી ગણાય છે. એ ખાવાથી તામસી પ્રકૃતિ વધે છે, એટલે કે કામ, ક્રોધ, દ્વેષ, પ્રમાદ ઇત્યાદિ વધે છે. આથી સંયમના સાધકો માટે એવી ભોજનસામગ્રી વર્જ્ય ગણાય છે. સાંજનું મિષ્ટાન્નયુક્ત ભારે ભોજન વાસનાને ઉશ્કેરી શકે છે. જેઓ ધ્યાન ધરવા ઇચ્છતા હોય તેઓએ તો સાંજના ભોજન ન કરવું જોઈએ અથવા હળવું ભોજન લેવું જોઈએ. ગરિષ્ઠ ભોજન જમ્યા પછી ધ્યાન સારું થઈ શકતું નથી. ધ્યાન નિદ્રામાં પરિણમે છે.
સ્નિગ્ધ ભોજન કામવિકારનું, પ્રમાદનું કારણ બની શકે છે. એટલા માટે જૈન મુનિઓ એવા પ્રકારના આહારનો યથાશક્તિ ત્યાગ કરે છે. દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે પળીય વપ્નદ્ રÉ ।-સ્નિગ્ધ રસનો ત્યાગ કરવો. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડા (કડાઇમાં તળેલી વાનગી) એ છને વિગઇ (વિકૃતિ પરથી) કહેવામાં આવે છે. કેટલાક મુનિ મહાત્માઓ આજીવન આ છએ વિગઇનો ત્યાગ કરે છે, તો કેટલાક અમુક સમયમર્યાદા માટે ત્યાગ કરે છે. દરેક સાધુ-સાધ્વીએ પોતાના ગુરુભગવંતની આજ્ઞા અનુસાર નિશ્ચિત સમય માટે ઓછામાં ઓછી એક કે બે વિગઇર્નો ત્યાગ કરવાનો રહે છે. રસત્યાગ અને સંયમપાલન એ એનો મુખ્ય ઉદ્દેશ છે.
રસત્યાગ માટે જૈન ધર્મમાં આયંબિલની જે તપશ્ચર્યા છે
Jain Education International
૨૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org