SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૫૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ * ક ૦ . નથી, બલ્ક કર્તવ્યરૂપ છે. પરંતુ આવા પ્રસંગે માણસે પ્રેમથી, સૌમ્યતાથી વિવેકબુદ્ધિપૂર્વક વચન ઉચ્ચારવું જોઇએ. પ્રશ્નો પૂછવાની બાબતમાં ગુરુ ગૌતમસ્વામીની તોલે કોઈ ન આવે. ગૌતમસ્વામી એટલે પ્રાશ્ચિકનો આદર્શ. ભગવાન મહાવીર સ્વામીને એમણે પૂછેલા પ્રશ્નોમાંથી છત્રીસ હજાર પ્રશ્નો અને ભગવાને એના આપેલા ઉત્તરો ભગવતીસૂત્રમાં સચવાયા છે. ગૌતમસ્વામી કેટલા વિનયપૂર્વક પ્રશ્નો પૂછે છે અને ભગવાન પણ “હે ગોયમા” એમ કહીને કેટલા વાત્સલ્યપૂર્વક જવાબ આપે છે ! પોતે જાણતા નહોતા માટે ગૌતમસ્વામીએ પ્રશ્નો પૂછ્યા હતા એવું નથી, પોતે તો જાણતા જ હતા, પણ પોતાના પ્રશ્નોથી ત્યાં બેઠેલા બીજા જીવોની શંકાનું સમાધાન થાય એ આશય હતો. એમના પ્રશ્નોમાં પણ બીજા જીવો માટેનો કરુણાભાવ હતો. જેઓ ઊંચી કોટિના સાધક છે તેઓને તો અકારણ વચન ઉચ્ચારવું જ ગમતું નથી. અકારણ વચન ઉચ્ચારવું એટલે વિશ્વના વ્યવહારમાં હસ્તક્ષેપ કરવો. રાગદ્વેષ વગર હસ્તક્ષેપ થાય નહિ. જ્યાં હસ્તક્ષેપ છે ત્યાં સૂક્ષ્મ હિંસા છે. આત્મા સ્વભાવમાંથી નીકળી વિભાવદશામાં આવે ત્યારે જ હસ્તક્ષેપ થાય છે. એટલે અકારણ બોલવું એ આત્માની વૈભાવિક દશાનું સૂચક છે. જેઓ સાધનાની ઊચ્ચ કક્ષાએ પહોંચ્યા છે તેઓ તો જગતને એ જેવું છે તેવા સ્વરૂપે જ નિહાળે છે. એમાં તેઓ પ્રમાદી કે કર્તવ્યસ્મૃત બન્યા છે એમ નહિ કહી શકાય. તેઓની આત્મરમણતા એટલી ઉચ્ચ કોટિની હોય છે કે જગતને તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy