________________
अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा ।
હોય કે ન હોય, બોલ્યા વગર રહી શકતા નથી. જે બહુ બોલબોલ કરે છે તેઓ જ ભાંગરો વાટતા હોય છે. જે માણસ વારંવાર મૌનનો અભ્યાસ કરે છે તેને પછી વગર કારણે બોલવાની બહુ ઇચ્છા થતી નથી. એટલા માટે સાધકે તો વાણીના સંયમનો, મૌનનો અભ્યાસ સતત રાખતા રહેવું જોઇએ. ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાનને પૂછવામાં આવે છે : वइगुत्तयाए णं भंते, जीवे किं जणयइ ? (હે ભગવાન ! વચનગુપ્તિથી જીવ શું પ્રાપ્ત કરે છે ?) ભગવાને કહ્યું કે :
वइगुत्तयाए णं निव्विकारं जणयइ । निव्विकारे णं जीवे वइगु अज्झप्पजोगसाहणजुत्ते यावि भवइ ।
(વચનગુપ્તિથી જીવ નિર્વિકારતા પ્રાપ્ત કરે છે. નિર્વિકાર થવાથી તે અધ્યાત્મયોગની સાધનાથી યુક્ત થાય છે.)
એટલે અધ્યાત્મસાધના માટે વચનગુપ્તિની અત્યંત આવશ્યકતા છે. જેમ જેમ વાણી પરનો સંયમ આવતો જાય તેમતેમ યોગ્ય સમયે યોગ્ય વચન જ ઉચ્ચારાય, નિરર્થક વાણીવિલાસ થાય નહિ. વાણીના સંયમથી અંતર્મુખ થવાય અને ચિત્ત વિકારરહિત, વિશુદ્ધ બનવા લાગે.
શું પૂછ્યા વગર ક્યારેય બોલાય નહિ ? ના, એવું નથી. વ્યવહા૨માં ક્યારેક ન પૂછવામાં આવ્યું તો પણ બોલવું એ કર્તવ્યરૂપ બને છે. હેમચંદ્રાચાર્યે કહ્યું છે કે જ્યાં ધર્મની હાનિ થતી હોય ત્યાં વગર પૂછ્યું પણ બોલવું જોઈએ. એ દોષરૂપ
Jain Education International
For Private & Personal Use Only
૫૩
www.jainelibrary.org