________________
૨ ૫
૨
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
નફ્ફટ થઈને સીધો સવાલ અચાનક કરે છે. ત્યારે માણસની કસોટી થાય છે. અસત્ય બોલવું નથી અને વિષમ પરિસ્થિતિમાંથી બચવું છે. તો તેની કલા માણસને આવડવી જોઈએ. ક્યારેક તો એટલો વિચાર કરવાનો પણ સમય રહેતો નથી.પરંતુ વ્યક્તિએ પોતાનું જીવન એવી રીતે ઘડવું જોઇએ કે સહસા પણ અયોગ્ય ન જ બોલાઈ જાય. હિત, મિત, પથ્ય અને સત્ય વાણી માટેનો આગ્રહ જીવનમાં વણાઈ જાય તો અયોગ્ય, અપરિપક્વ વાણી ઉચ્ચારવાનો સમય આવતો નથી. સહસા પણ એવું બોલાતું નથી.
વગર પૂછક્ય બોલવું ન જોઇએ એ તો સાચું અને ગુરુ મહારાજ પૂછે તો વિનયપૂર્વક ઉત્તર આપવો જોઇએ એ પણ સાચું, પરંતુ કેટલીક સામાજિક બાબતોમાં, રાજકારણમાં કે એવા અન્ય વિષયમાં તો પૂછવામાં આવે છતાં મૌન રાખવામાં ડહાપણ છે. પોતાના ઉત્તરથી જો કલેશ કંકાસ થવાનો હોય, વાદવિવાદ કે કષાયો થવાના હોય, હિંસા થવાની હોય તો તેવે વખતે પૂછવા છતાં ન બોલવું જોઇએ. એક સુભાષિતમાં કહ્યું છે :
ना पृष्ठ: कस्याचिद् ब्रूयान्नाऽप्यन्यायेन पृच्छतः ।
ज्ञानवानपि मेघावी जडवत् समुपाविशेत् ।। [કોઈના પૂછ્યા વગર કશું કહેવું નહિ. વળી અન્યાયથી જો પૂછવામાં આવે તો પણ જ્ઞાનવાન, મેધાવી વ્યક્તિ જડવત્ ચૂપ બેસી રહે.] કેટલાક માણસોની પ્રકૃતિ જ એવી હોય છે કે તેઓ કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org