________________
अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा ।
૨ ૫ ૧
આચાર્યના ચહેરા પર કેવો છે તે જ જાણવા ઉત્સુક. બે કલાક સુધી વિદ્યાર્થીઓના પ્રશ્નો આવતા જ રહ્યા અને છેવટે રાતના સાડા બાર વાગે આચાર્યને આજ્ઞા કરવી પડી કે “હવે પ્રશ્નો બંધ થાય.' પ્રશ્નોત્તરીની બાબતમાં આવો આડંબર પણ થાય છે.
બીજાઓ સાથેની વાતચીતમાં માણસે બોલતાં પહેલાં પોતાની યોગ્યતાનો, પોતાની પરિસ્થિતિનો, પોતાના અધિકારનો વિચાર કરવો જોઈએ. માણસે મનઃપૂત વાણી ઉચ્ચારવી જોઈએ. કહેવાયું છે કે :
વચન રતન, મુખ કોટ છે, હોઠ કપાટ બનાય;
સમજ સમજ હરફ કાઢિયે, મત પરવશ પડ જાય. વાણી ઉપરના સંયમમાં માણસની ધીરજની કસોટી થાય છે. બોલવું છે, બોલવા જેવું છે અને છતાં નથી બોલવું, ન બોલવામાં જ ઔચિત્ય છે એમ સમજીને મનને સંયમમાં રાખવું ઘણું અઘવું છે. મનને સંયમમાં રાખવાથી સામાજિક અને નૈતિક દૃષ્ટિએ લાભ થાય કે ન થાય, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ તો અવશ્ય લાભ થાય જ છે.
આપણને પ્રશ્ન થાય કે કોઈ ન પૂછે તો ન બોલવું એ સાચું, પણ કોઈ સહજ ભાવે કે જાણી જોઈને પૂછે તો શું કરવું ?
કોઈ ન પૂછે અને ન બોલવું એમાં તો ઉત્તમ ડહાપણ છે, પરંતુ હેતુપૂર્વક પૂછવામાં આવે ત્યારે પણ માણસે ઉત્તર આપવો કે નહિ તેનો પુખ્ત વિચાર કરવો જોઈએ. પૂછનારનો ઈરાદો કેવો છે તે પણ પારખતાં આવડવું જોઈએ. કેટલાક માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org