________________
૨ ૫૦
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
છે. કોઈ વચ્ચે બોલે એવું લશ્કરી જીવનમાં જોવા નહિ મળે.
કેટલીકવાર વિદ્યાર્થીઓમાં દેખાડો કરવાની વૃત્તિને લીધે કે શિક્ષકને પજવવા માટે પ્રશ્નો પૂછવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટેની એક શિબિરમાં બહારના એક વ્યાખ્યાતા રાતના આઠથી નવ વ્યાખ્યાન આપતા અને છેલ્લે કહેતા કે વ્યાખ્યાનના વિષય અંગે કોઇને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. થાકેલા અને ઊંઘમાં આવેલા વિદ્યાર્થીઓ કંઈ પૂછતા નહિ. કદાચ કોઈ વિદ્યાર્થી પૂછે તો બીજા પછીથી ખાનગીમાં એને ઠપકો આપીને કહેતા કે “તારે પૂછવું હોય તો એકલો જઈને પૂછી આવજે. અમારો સમય શું કામ બગાડે છે. અમારે વેળાસર ઊંઘવું હોય કે નહિ?' બીજા દિવસોએ પણ વ્યાખ્યાતા ત્રણચાર વાર કહે છતાં કોઈનો ય પ્રશ્ન ન આવતાં તેઓ વિદાય લેતા. છેલ્લા દિવસે વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓના આચાર્ય આવીને બેઠા.
વ્યાખ્યાનને અંતે વ્યાખ્યાતાએ રાબેતા મુજબ કહ્યું કેઃ “કોઇને કંઈ પૂછવું હોય તો પૂછો. તરત એક સાથે આઠ હાથ ઊંચા થયા. એક પછી એક પ્રશ્નો, કેટલાક તો ઢંગધડા વગરના થવા લાગ્યા. વ્યાખ્યાતાએ ધીરજપૂર્વક જવાબો આપ્યા. પણ પ્રશ્નો તો આવતા જ ગયા. પ્રશ્ન પૂછનાર પ્રશ્ન પૂછડ્યા પછી ધ્યાનથી સાંભળવા વ્યાખ્યાતાની સામે જોવાને બદલે પોતાના આચાર્યની સામે જુવે. વ્યાખ્યાતા શો જવાબ આપે છે એ સાંભળવામાં એને રસ નહિ, પણ પોતે કેવો સરસ પ્રશ્ન કર્યો છે એનો પ્રતિભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org