________________
अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा ।
૨૪૯
છે.” (એ વડાં તો મેં કર્યા છે.) ત્યાં બીજી પત્નીએ તરત એને ઠપકો આપતાં કહ્યું, “ના કઈ તી ને ચેમ બોઈ ?' (ના કહી હતી તો કેમ બોલી ?). ત્યાં ત્રીજી બોલી ઊઠી, “એ તો બોઈ તો બોઈ પણ તું એમ બોઈ ?' (એ તો બોલી તો બોલી, પણ તું કેમ બોલી ?). ત્યાં ચોથી બોલી, “એ બોઈ, પણ હું તો બોઇય નથી અને ચાઇય નથી.” (એ બોલી પણ હું તો બોલી પણ નથી અને ચાલી પણ નથી.)
આમ ચારે બોબડી પત્નીઓ ન પૂછવા છતાં બોલી અને મંત્રી ઝંખવાણો થઈ ગયો.
આ તો દૃષ્ટાન્તરૂપે ટુચકો છે, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાની પ્રશંસા વખતે માણસથી રહેવાતું નથી, ન બોલવાનું હોય તોપણ બોલાઈ જાય છે. મૌનનો પણ ભંગ થઈ જાય છે.
જ્યારે કોઈ શિક્ષણવર્ગમાં, ચર્ચાસભામાં પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એ પ્રશ્ન બધાને માટે હોય છે, પરંતુ તેનો જવાબ તો જેને આપવાનો હોય તે જ આપે છે. કેટલીક વાર શિક્ષક કહે છે, “સવાલ સબસે, જવાબ એકસે.” શિક્ષક વર્ગમાં પ્રશ્ન પૂછે અને બધા જ વિદ્યાર્થીઓ એક સાથે બોલે તો ગેરશિસ્ત અને ઘોંઘાટ સર્જાય.
સવાલ-જવાબની પદ્ધતિ શાળાઓમાં સારી રીતે શીખવી શકાય છે. જ્યાં આ પ્રમાણે તાલીમ અપાય છે ત્યાં સુંદર શિસ્ત પ્રવર્તે છે. લશ્કરી તાલીમમાં અને પ્રત્યેક દેશના લશ્કરી જીવનમાં બોલવા અંગે, સવાલ-જવાબ અંગે સારી શિસ્ત પ્રવર્તતી હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org