________________
૨૪૮
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
વળી આપણે ત્યાં એક રૂઢ પ્રયોગ છે : વગર બોલાવ્યે બોલે એ તણખલાની તોલે.
જૂના વખતનો એક ટુચકો છે. એક રાજાના મંત્રીની ચારે પત્નીઓ બહુ રૂપાળી, પણ કોઈક કારણસ૨ બોબડી થઈ ગઈ હતી. એટલે મંત્રી પત્નીઓને ક્યારેય રાજદરબારમાં લઈ જતો નહિ. આથી રાજાને જિજ્ઞાસા થતી. એક વખત રાજાએ મંત્રીને કહ્યું, ‘મારે એક દિવસ તમારે ઘરે જમવા આવવું છે.’
મંત્રીથી ના પડાય એમ નહોતું. રાજા અને મંત્રી જમવા બેઠા. ચારે પત્નીઓએ સરસ રસોઈ બનાવી અને સુસજ્જ થઈને પીરસવા લાગી. પરંતુ મંત્રીએ પત્નીઓને શિખામણ આપી રાખી હતી કે પીરસીને આઘા ઊભા રહેવું અને પૂછ્યા વગર કોઈએ બોલવું નહિ. વળી રાજા તમને કંઈ પૂછે તો પહેલાં તો તમારાવતી તરત હું જવાબ આપી દઇશ. તમારે મૌન રાખવું. તમે બોલતાં શરમાવ છો એમ હું કહીશ.' ચારે પત્નીઓએ એ શિખામણ સ્વીકારી લીધી. રાજા પત્નીઓને કંઈ પણ પૂછે કે તરત મંત્રી જવાબ આપી દેતા. રાજાને થયું કે હવે કંઈક યુક્તિ કરવી જોઇશે. એણે જમતાં જમતાં રસોઇનાં વખાણ કર્યાં અને કહ્યું : ‘આજે વડાં બહુ જ સરસ થયાં છે. આવાં વડાં તો જિંદગીમાં મેં ક્યારેય ખાધાં નથી.’
રાજાને મોંઢે વડાંની પ્રશંસા સાંભળી વડાં બનાવનાર પત્નીથી રહેવાયું નહિ. એ તરત બોલી, ‘એ વયાં તો મેં કયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org