SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा । અહીં મુનિ મહારાજને ભલામણ કરવામાં આવી છે કે એમના ગુરુભગવંત કોઈની સાથે વાત કરતા હોય ત્યારે એમાં વચ્ચે ન બોલવું જોઈએ. વચ્ચે બોલવાથી કોઈકને ક્ષોભ થાય, કોઈક સાથે દ્વેષ, વેરભાવ ઈત્યાદિ થાય, પરિસ્થિતિ ખોટો વળાંક લઈ લે, ધાર્યુ કામ પૂર્ણ ન થાય ઈત્યાદિ પ્રકારનો સંભવ રહે છે. એટલે જ કોઈની વાતમાં વચ્ચે બોલવું એ બૂરી આદત સમાજમાં ગણાય છે. ક્યારેક પોતાનું ડહાપણ બતાવવા માટે પણ માણસને વચ્ચે બોલવાનું મન થાય છે. પોતે બહુ ડાહ્યા છે, સમજદાર છે, જાણકા૨ છે એવા ભાવથી અભિમાનપૂર્વક વચન ઉચ્ચારાય છે. પરંતુ જીવન-વ્યવહારમાં, જેટલું જાણતા હોઈએ એટલું બધું જ બીજાને કહેવા યોગ્ય નથી હોતું. થેરગાથામાં કહ્યું છે : सव्वं सुणाति सोतेन, सव्वं पस्सति चक्खुना । न च दिट्ठे सुतं धीरो सव्वं उज्झितमरहति । (માણસ કાનથી બધું સાંભળે છે, આંખથી બધું જુએ છે, પરંતુ જે કંઈ જોયું કે સાંભળ્યું હોય તે બધું બધાને કહેવા યોગ્ય છે એવું ધીર પુરુષને લાગતું નથી.) પોતાના વિચારો દ્વારા પોતાની પ્રતિક્રિયા તરત વ્યક્ત કર્યા પછી કેટલાક પસ્તાય છે. પોતાનાથી ઉતાવળ અને અધીરાઈ થઈ ગઈ છે, કાચું કપાઈ ગયું છે એમ પછી લાગે છે. પછી એનાં માઠાં પરિણામો ભોગવવાનો વખત પણ આવે છે. એટલે જ ‘ન બોલ્યામાં નવ ગુણ' જેવી કહેવત પ્રચલિત થઈ છે. Jain Education International For Private & Personal Use Only ૨૪૭ www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy