________________
तेसि पि तवो असुद्धो।
૩ ૧૫
તપની અનુમોદના કરવી જોઈએ. એમ કરવાથી તેમને પોતાની શક્તિની પ્રતીતિ થાય છે, વધુ મોટું તપ કરવા માટે પ્રેરણા મળે છે અને તપની યથાર્થતા સમજાય છે. તપ એ માત્ર લાંઘન નથી એવી સમજ આવે છે. વળી તપસ્વી શ્રાવક-શ્રાવિકાના બહુમાનના કાર્યક્રમો યોજાય તે પણ એક અપેક્ષાએ જરૂરી છે. એથી જેઓ તપ ન કરતા હોય તેઓને પ્રેરણા મળે છે. અલબત્ત, બહુમાનના કાર્યક્રમથી તપસ્વીમાં અહંકાર ન આવવો જોઈએ. તપસ્વીએ માત્ર બહુમાનના કે એવા બીજા આશયથી તપ ન કરવું જોઈએ. એક શ્રીમંત વેપારીના પુત્રે અઠ્ઠાઈ કરી. એના પારણાના દિવસે ઘણા વેપારીઓને નિમંત્રણ આપવામાં આવયું હતું. કાર્યક્રમ મોટા હોલમાં રાખવામાં આવ્યો હતો. મહેમાનો અઠ્ઠાઈ કરનાર યુવાનને ચમચી રસ પીવડાવી એના હાથમાં કવર આપતા. વચ્ચે સમય મળે એટલે યુવાન તરત કવર ખોલી, એમાંની રકમ ગણી જોઈ, પાસે રાખેલી ડાયરીમાં તે રકમ નોંધી લેતો; લગ્નના ચાંલ્લાની જેમ. સંબંધીઓએ વ્યવહાર બરાબર કર્યો છે કે નહિ એ જોવામાં પિતા-પુત્રને રસ હતો. આવું તપ તે અશુદ્ધ તપ છે, બાલ તપ છે. પરંતુ કોઈ એમ કહે કે આવું તપ કરે એના કરતાં તપ ન કરે તો સારું, તો તે પણ યોગ્ય નથી. તપ અવશ્ય કરે, પણ તેમાં શુદ્ધિ લાવવા માટે સમજાવવાની જરૂર છે.
તપ કરવું કઠિન છે, પણ તપ જીરવવું એ તો એથી પણ વધુ કઠિન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org