________________
૨૮
वओ अच्चेइ जोव्वणं च । વિય અને યૌવન ચાલ્યા જાય છે
I
ભગવાન મહાવીર સ્વામીનાં બોધવચનોમાંથી ઉપરના એક વચનનું સ્મરણ-ચિંતન કરીએ.
આચારાંગ સૂત્રના “લોકવિજય” નામના બીજા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છેઃ
अप्पं व खलु आउयं इ इहमेगेसिं।
માપવાdi..aો મધ્યે ગોત્ર ૪. એટલે કે કેટલાક માણસોનું આયુષ્ય અલ્પ હોય છે. તેની આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શેન્દ્રિયની શક્તિ ક્ષીણ થતી જાય છે. યોવન ઘડીકમાં પૂરું થઈ જાય છે અને વૃદ્ધાવસ્થા આવતાં માણસ મૂઢ બની જાય છે. તે વૃદ્ધ માણસ હાસ્ય, ક્રીડા, વિનોદ કે વેશભૂષા-શણગારને લાયક નથી રહેતો.
આયુષ્ય વીતી જાય છે. એમાં બાળપણ, યોવન, વૃદ્ધાવસ્થા વગેરે બધું જ આવી જાય છે. તો પછી અહીં યૌવનનો જુદો ઉલ્લેખ કરવાની જરૂર શી ? વસ્તુતઃ યૌવનને માટે જ આ કહેવાનું જરૂરી છે, કારણ કે બાળપણમાં તો માણસ અજ્ઞાન અવસ્થામાં હોય છે. એને જીવનમરણનો ખાસ કંઈ વિચાર આવતો નથી. બાલક્રીડામાં બાળક રચ્યુંપચ્યું રહે છે. બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org