________________
३१४
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
છે કંઈ ઠેકાણું ? તપસ્વીઓની લાંબીલચક યાદી આપી, પણ મેં તો માસખમણ કર્યા તોય મારા નામનો કોઈ ઉલ્લેખ જ ન મળે'–આવું જ કહેવામાં કે ચિંતવવામાં આવે તો તે તપ અશુદ્ધ જ ગણાય, કર્મની નિર્જરા કરવામાં તે કામ ન લાગે. વસ્તુતઃ આરાધક મહાત્માઓ તો એવી યાદી તરફ લક્ષ પણ ન આપે અને કોઈ પોતાના તપની પ્રશંસા કરે કે ન કરે, તેઓને કશી નિસ્બત ન હોય. તેઓ તો સમતાભાવમાં જ હોય, પોતાના આત્મસ્વરૂપમાં જ હોય.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ શુદ્ધ તપ કેવું હોય તે વિશે જ્ઞાનસારમાં લખ્યું છેઃ
यत्र ब्रह्म जिनार्चा च, कषायाणं तथा हतिः ।
सानुबन्धा जिनाज्ञा च तत् तपः शुद्धमिष्यते ॥ [જેમાં બ્રહ્મચર્ય હોય, જિનભક્તિ હોય, કષાયોની હાનિ હોય અર્થાત્ કષાયો ઓછા થતા જતા હોય અને જિનાજ્ઞાનો અનુબંધ વધતો જતો હોય, તે તપ શુદ્ધ મનાય છે.]
જે તપ કરવાથી બ્રહ્મચર્ય દૃઢ થતું હોય, જિનભક્તિનો રંગ લાગે જિનાજ્ઞા પ્રત્યે આદર-બહુમાન થાય, કષાયો મંદ પડે એવા તપને શુદ્ધ કહેવામાં આવે છે.
કોઇને પ્રશ્ન થાય કે તો પછી તપની અનુમોદના કે પ્રભાવના કરી શકાય કે નહિ ? અવશ્ય તપની અનુમોદના અને પ્રભાવના કરી શકાય. બાળકો, યુવાનો અથવા અમુક પ્રકારના બાળ જીવો તપ કરતા હોય તો તેમને પ્રોત્સાહન આપવા માટે તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org