________________
तेसि पि तवो असुद्धो।
૩૧ ૩
પ્રસિદ્ધિમાં આવે છે અને પ્રચારમાધ્યમો દ્વારા અનેક લોકો સુધી પહોંચે છે. એવા મહાત્માઓ જ્યારે કોઈ મોટી તપશ્ચર્યા કરે ત્યારે સહજ રીતે એની પ્રસિદ્ધિ થાય, પરંતુ સાધુમહાત્મા એવી પ્રસિદ્ધિથી પ્રભાવિત ન થાય. તેઓ આત્મસ્વરૂપમાં જ મગ્ન હોય. એક જ સંપ્રદાયમાં કોઈ એક સાધુએ અઠ્ઠાઈ કે માસખમણની તપશ્ચર્યા કરી હોય અને તે સમયે તેવી જ તપશ્ચર્યા મોટા કુળમાંથી આવતા કોઈ મહાત્માએ કરી હોય તો સમાજમાં મહાકુળવાળા મહાત્માની પ્રશંસા ચારે બાજુ વધારે થાય એ દેખીતું છે. પરંતુ ધારો કે કોઈ મહાત્મા પોતે એમ કહે (જો કે કહે જ નહિ) કે “એ સાધુ તો ગરીબ કુટુંબમાંથી આવે છે, ઘણું કષ્ટ વેઠીને આવે છે એટલે અઠ્ઠાઈ કરવી એમને માટે રમત વાત છે, પરંતુ હું તો મોટા ઘરનો નબીરો હતો, સુખસાહ્યબીમાં ઊછર્યો હતો, ખાવાપીવાનો રસિયો હતો એટલે દીક્ષા લીધા પછી મેં જે અઠ્ઠાઈ કરીને વધુ પ્રશંસાને પાત્ર છે –જો આમ કહે તો તેમનું તપ અશુદ્ધ બની જાય છે. વળી અન્ય દ્વારા થતી પ્રશંસા પોતાને સાંભળવી ગમે તો પણ તેમનું તપ અશુદ્ધ બની જાય છે.
કોઈ સાધુ મહાત્માએ પર્યુષણમાં માસખમણ અર્થાત્ મહિનાના ઉપવાસ કર્યા હોય અને એ સંઘના સમાચાર છાપામાં કે કોઈ પત્રિકામાં આવ્યા હોય અને માસખમણ કરનારાઓની યાદીમાં એ સાધુ મહાત્માનું નામ રહી ગયું હોય, તે વખતે તેઓ જો કહે અથવા મનમાં વિચારે કે “આ છાપાવાળાઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org