________________
૩ ૧ ૨
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
ઊલટો છે.
માણસે જો અન્ય કરતાં કંઈક વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત કરી હોય તો તરત એ શક્તિ વિશે પોતાને વાત કરવાનું મન થાય અને બીજા પણ પોતાની શક્તિની પ્રશંસા કરે એવું તે ઇચ્છે.
ભગવાને અશુદ્ધ અને શુદ્ધ વીર્ય અર્થાત્ શક્તિ કે પરાક્રમનું સ્વરૂપ દર્શાવ્યું છે. અશુદ્ધ તપ વિશે તેમણે કહ્યું છે કે જે માણસો સાંસારિક દૃષ્ટિએ બહુ ભાગ્યવાન હોય છે, જે લોકોમાં પૂજાય છે, જેઓ સારા વક્તા છે, વ્યાખ્યાતા છે, વાદવિવાદ કરવામાં કુશળ છે પરંતુ મિથ્યાદૃષ્ટિ છે એટલે કે સમ્યગુદૃષ્ટિથી રહિત છે તેવા માણસોનું તપ, દાન, સ્વાધ્યાય, યમનિયમ વગેરે લોકોમાં વખણાતાં હોવા છતાં તે અશુદ્ધ છે. તેમના તેવા તપ વગેરેથી કર્મની નિર્જરા થતી નથી, પરંતુ એથી શુભાશુભ કર્મબંધ થાય છે.
કોઈ મોટા રાજવી હોય, મંત્રી હોય, દીવાન હોય, સેનાપતિ હોય, મોટા શ્રેષ્ઠી કે શ્રેષ્ઠીપુત્ર હોય, નામાંકિત પુરુષ હોય તેવી કોઈ વ્યક્તિ જ્યારે ગૃહજીવનનો ત્યાગ કરી, પંચમહાવ્રત ધારણ કરી દીક્ષા લે ત્યારે એ દીક્ષા–મહોત્સવમાં હજારો માણસો આવે છે અને એમની દીક્ષાનાં વખાણ ચારે બાજુ થાય છે. એવા મહાકુળમાંથી આવેલા મહાત્માઓ આત્મસાધનાનું મૂલ્ય જાણે છે અને એમની બધી પ્રવૃત્તિ આરાધનામય અને મોક્ષાર્થે જ હોય છે. તેમ છતાં લોકો જિજ્ઞાસુ હોય છે. એમની વાતો જાણવા ઉત્સુક હોય છે અને એવી વાત તરત પ્રસરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org