________________
तेसि पि तवो असुद्धो ।
અને કાયાના યોગો ઉપર સંયમ મેળવવા માટે છે. આરંભમાં તપ કષ્ટભર્યું લાગે છે, પણ સાધક ઉત્તરોત્તર ઉલ્લાસ અને પ્રસન્નતાપૂર્વક તપ કરતો થઈ જાય છે. કેટલાક બાહ્ય તપને લાંઘન કહીને વગોવે છે અને આત્મોપયોગ પર ભાર મૂકે છે, પણ જ્યાં સુધી મન, વચન અને કાયાના યોગો ઉપર સંયમ નથી આવતો ત્યાં સુધી આત્મોપયોગમાં સ્થિર થઈ શકાતું નથી. એટલે જ તપમાં બાલવીર્યથી પંડિતવીર્ય સુધી વિકાસ સાધવાનો છે. પંડિતવીર્યની સાધના વગર આત્મસ્વરૂપની રમણતામાં એકાગ્રતા કે સ્થિરતા આવતી નથી. એટલે જ કહેવાયું છે કે જે સાધક થોડો આહાર લે છે, થોડું બોલે છે, થોડી નિદ્રા લે છે તથા પોતાના સંયમનાં ઉપકરણો અત્યંત અલ્પ રાખે છે તેને દેવો પણ વંદન કરે છે.
આમ, તપ કરવું એ એક પ્રકારની વિશિષ્ટ શક્તિ છે. અસંખ્ય માણસો આખી જિંદગીમાં એક ઉપવાસ પણ નથી કરી શકતા. જે એક ઉપવાસ કરે તે સ્વેચ્છાએ અન્નનો ત્યાગ કરે છે. એમ કરવામાં શારીરિક તેમજ માનસિક શક્તિ જોઈએ. તેવું આત્મબળ જોઇએ.
જૈનો જેવી તપશ્ચર્યા કરે છે એવી તપશ્ચર્યા દુનિયામાં અન્ય કોઈ ધર્મના લોકો કરતા નથી. વ્યક્તિગત રીતે કોઈ તપશ્ચર્યા કરે એ જુદી વાત છે, પણ સામુદાયિક કક્ષાએ અન્ય કોઈ ધર્મમાં અઠ્ઠાઈ કે માસખમણ જેવી તપશ્ચર્યા થતી નથી. મુસલમાનોમાં રોજા છે, પણ તેમાં આખી રાત ખાઈ શકાય છે. માત્ર ક્રમ
Jain Education International
૩૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org