________________
૩ ૧૦
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
પણ ગામના પ્રત્યેક ઘરમાંથી એક સભ્ય અઠ્ઠાઈ કરી હોય. ક્યારેક એક જ ઘરમાંથી બધાએ અઠ્ઠાઈ કરી હોય. ૪૫ કે ૬૦ ઉપવાસ કરનારા દર વર્ષે નીકળી આવે છે. આવી અને બીજી અનેક પ્રકારની તપશ્ચર્યાઓની વાત સાંભળી અન્ય સમાજ આશ્ચર્યચકિત થઈ જાય છે. આવી તપશ્ચર્યાને અંતે ઊજમણું થાય છે, શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રા શ્રાવકોના તપની હોય છે. સાધુ મહારાજના તપ માટે શોભાયાત્રા ન નીકળે. એમના તપની અનુમોદના માટે જાહેર મેળાવડા ન થવા જોઇએ. સાધુ મહારાજોનું તપ ગુપ્ત રહેવું જોઇએ. એનો પ્રચાર ન થાય. જો તેમના દ્વારા પ્રચાર થાય, ફોટા છપાવાય તો તે તપ અશુદ્ધ બની જાય છે.
જૈન ધર્મમાં તપ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. તપથી કર્મની નિર્જરા થાય છે. તપ બાર પ્રકારનાં બતાવવામાં આવ્યાં છે. છ બાહ્ય તપ અને છ આત્યંતર તપ. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ અને સંલીનતા એ છ પ્રકારનાં બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ આ છ આત્યંતર પ્રકારનાં તપ છે. આ મુખ્ય પ્રકાર સમજવા માટે બતાવ્યા છે. વસ્તુત: તપ અનેક પ્રકારનાં છે. ઉદાહરણ તરીકે આયંબિલ, એકાસણું, બિયાસણું વગેરેનો જુદો ઉલ્લેખ નથી કર્યો, પણ તે આ છ બાહ્ય તપમાં અંતર્ગત કરી શકાય છે.
આ બારે પ્રકારનાં અથવા સર્વ પ્રકારનાં તપ મન, વચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org