________________
तेसि पि तवो असुद्धो।
૩૦૯
તપની બહુ જાહેરાત ન કરવી જોઈએ. યથાશક્ય પોતાના તપને ગુપ્ત રાખવું જોઈએ.
સૂત્રકૃતાંગ સૂત્રની આ ગાથામાં તવોડયુદ્ધો અથવા તો કયુદ્ધો ને બદલે તવો યુદ્ધો એવો પાઠ રાખીને, “એવા મોટા કુળવાળાઓનું તપ પણ શુદ્ધ છે' એવો અર્થ ક્યાંક કરવામાં આવ્યો છે. પ્રથમ દૃષ્ટિએ એ અર્થ બરાબર લાગે છે. એમ કરવાથી પણ અર્થ બંધબેસતો લાગે છે, પરંતુ અહીં “પિ – પણ’ શબ્દ પ્રયોજાયો છે. જો શુદ્ધ તપની વાત હોય તો “પણ” શબ્દની આવશકતા ન રહે. “પણ” શબ્દ જ બતાવે છે કે અહીં અશુદ્ધ તપની વાત છે. વળી, આ ગાથા પરની સંસ્કૃત ટીકામાં પણ શુદ્ધ-એવો અર્થ જ આપ્યો છે–ષrru તત્તમનુષ્ઠાનમશુદ્ધ. એટલે આ ગાથામાં “શુદ્ધ નહિ પણ અશુદ્ધ પાઠ જ સુયોગ્ય છે.]
પર્યુષણ પર્વ આવે એટલે સમગ્ર જૈન સમાજમાં તપશ્ચર્યાનો એક માહોલ સર્જાય છે. સંવત્સરીના દિવસે તો ભારતભરમાં લાખો માણસ ઉપવાસ કરે છે. પર્યુષણ પર્વ પછી ઠેર ઠેર તપશ્ચર્યાના આંકડાઓ પ્રસિદ્ધિમાં આવે છે. કેટલાક સાધુ મહાત્માઓની એવી લબ્ધિ હોય છે કે એમની નિશ્રામાં તપ કરવાનો ભાવ થાય છે. ક્યાંક ત્રણ કે ચાર વર્ષના બાળકે અઠ્ઠાઈ કરી હોય એવા સમાચાર સાંભળવા મળે છે. ક્યારેક સાવ નાનું ગામ હોય, ચાલીસ-પચાસ ઘર હોય અને મુનિ મહારાજે કે આચાર્ય ભગવંતે કશો જ આગ્રહ ન કર્યો હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org