________________
૨૭
तेसि पि तवो असुद्धो । તેિમનું પણ તપ અશુદ્ધ છે.]
ભગવાન મહાવીરે કહ્યું છે કે તેમનું પણ” તપ અશુદ્ધ છે. અહીં તેમનું પણ” શબ્દ પ્રયોજવામાં આવ્યા છે. (તપ શબ્દ પુલ્લિગમાં વપરાય છે અને નપુંસક લિંગમાં પણ વપરાય છે.) તેમનું પણ એટલે બીજાઓનું તો ખરું જ, પરંતુ તેઓનું તપ પણ અશુદ્ધ છે. અહીં તેઓ” એટલે કે જે મોટા કુળમાં ઉત્પન્ન થયેલા છે, જેઓની ગણના મોટા માણસોમાં થાય છે એવા સાધુ મહાત્મા. મોટા માણસોને કેટલાક વિશેષ અધિકાર હોય છે. પરંતુ તપમાં તેઓ અપવાદરૂપ નથી. વસ્તુતઃ મોટા હોવાને કારણે એમની જવાબદારી વિશેષ રહે છે. મોટાનો દાખલો પહેલો લેવાય છે. ભગવાન મહાવીરે સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના આઠમાં અધ્યયનમાં કહ્યું છેઃ
तेसिं पि तवो असुद्धो, निक्खंता जे महाकुला। जं नेवऽन्ने वियाणंति न सिलोगं पवेयए । જેઓ મહાકુળમાં જન્મ પામ્યા હોવા છતાં પૂજા-સત્કારાદિ માટે તપ વગેરે કરે છે તેમનું પણ તપ અશુદ્ધ છે. દીક્ષિત થયા પછી તેઓ પૂજા-સત્કારાદિના ભાવ સાથે જે અનુષ્ઠાનો કરે છે તે પણ અશુદ્ધ છે. સાધુ ભગવંતોએ સામાન્ય રીતે પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org