________________
संसग्गि असाहु राइहिं ।
ન પડવી જોઈએ કે શિક્ષક કે આચાર્ય (વિદ્યાગુરુ) કરતાં રાજા મહાન છે. એમ થાય તો જીવનમાં એમનાં મૂલ્યો બદલાઈ જાય. અને પ્રજા ખમીરવંતી ન બની શકે.'
આચાર્યના ખુલાસાથી રાજાને અને બીજાંઓને આનંદ થયો અને ઇંગ્લંડની ભાવિ પેઢીને સારી રીતે ઘડવા માટે આચાર્યને અભિનંદન આપ્યા.
રાજાઓ, રાજ્યકર્તાઓ સાથેનો સંબંધ મુનિ મહારાજ માટે વ્યવહારદૃષ્ટિએ ગમે તેટલો ઉપયોગી હોય તો પણ અંતે તો ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે તે જ સાચું છે અને તે જ લક્ષમાં રાખવું જોઇએ. મુનિ મહારાજ માટે એ જ હિતાવહ છે. રાજ્યકર્તાઓ સાથેનો સંબંધ અસમાધિનું મોટું નિમિત્ત બને છે એ વાત નિર્વિવાદ છે. એમાં પોતાનું અંતઃકરણ એ જ સાક્ષી છે.’ માત્ર મોક્ષ અભિલાષ’થી જેઓએ દીક્ષા લીધી છે તેઓ
તો આ વાતને તરત કબૂલ કરશે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘જ્ઞાનસાર’માં કહ્યું છેઃ
प्राप्तं षष्ठं गुणस्थानं भवदुर्गाद्रिलङ्घनम् । लोकसंज्ञारतो न स्यान्मुनिर्लोकोत्तर स्थितिः ॥
३०७
[ સંસારરૂપી વિષમ પર્વતનું ઉલ્લંઘન ક૨વારૂપ છઠ્ઠા (સર્વવિરતિ) ગુણસ્થાનકને પામેલા એવા, લોકોત્ત૨ માર્ગમાં રહેલા મુનિ લોકસંજ્ઞામાં રાગ ન કરે.]
***
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org