________________
૩૦૬
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
ગયા હતા.) રાજાઓ પોતાની મર્યાદા સમજે છે. રાજા દુષ્યત કવિ ઋષિના આશ્રમમાં જાય છે ત્યારે પોતાનાં મુગટ, હાર, તલવાર વગેરે રાજચિહુનો ઉતારીને આશ્રમમાં પ્રવેશે છે.
વિદ્યાધામોમાં પણ રાજા કરતાં શિક્ષકનું-વિદ્યાગુરુનું માન વધુ હોય છે (જો કે હવે એવું રહ્યું નથી.) જૂના વખતની ઇંગ્લંડની વાત છે. ત્યાં ક્યારેક રાજા શાળાઓની મુલાકાતે નીકળતા. ઇંગ્લંડમાં રિવાજ એવો છે કે રાજા પધારે ત્યારે બધા પોતાની હેટ માથેથી ઉતારીને હાથમાં રાખે. રાજા પ્રત્યે સન્માન બતાવવાની એ પ્રથા છે. એક વખત રાજા પોતાના રસાલા સાથે ઇંગ્લંડની શ્રેષ્ઠ ગણાતી એક શાળાની મુલાકાતે ગયા. રાજા પધાર્યા ત્યારે આચાર્ય એમનું સ્વાગત કરવા પહોંચ્યા. પરંતુ એ વખતે એમણે પોતાની હેટ ઉતારી નહિ. રાજાને એ ગમ્યું નહિ. મંત્રીઓને અને બીજાઓને પણ એ ઠીક ન જણાયું. રાજાનો માનભંગ થયો હોય એવું લાગ્યું. રાજાને એમના માણસો સાથે આચાર્ય બધા વર્ગોમાં લઈ ગયા. પણ હેટ ઉતારી નહિ.
મુલાકાત પૂરી થઈ. સૌનો અભિપ્રાય એવો પડ્યો કે શાળા શ્રેષ્ઠ છે, પણ આચાર્યની ગેરશિસ્ત ગંભીર છે. એ ગેરશિસ્તને ગુનો ગણીને શિક્ષા કરવી જોઈએ. પણ એ પહેલાં આચાર્ય પાસે ખુલાસો માગવો જોઈએ. આચાર્યને બોલાવવામાં આવ્યા. હેટ ન ઉતારવાનું કારણ પૂછવામાં આવ્યું. આચાર્યે કહ્યું, “રાજાસાહેબ માટે મને અપાર માન છે. પણ મારા વિદ્યાર્થીઓમાં એવી છાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org