________________
संसग्गि असाहु राइहिं।
૩૦૫
નથી ? શું સમજો છો તમારા મનમાં ? જૈન સમાજના કેટલાં કામ હું કરી આપું છું એ ખબર છે ને !'
આયોજકો બિચારા માફી માગવા લાગ્યા. પછી મિનિસ્ટરે કહ્યું, “આ કોણ બહેન ગાય છે ? એને કહો કે જલદી પૂરું કરે. મારે મોડું થાય છે.' તરત ગીત ટૂંકું થઈ ગયું. પછી મિનિસ્ટર બોલવા ઊભા થયા. સ્વર્ગારોહણની તિથિ બાજુ પર રહી ગઈ. મિનિસ્ટરે પોણો કલાક જૈન સમાજ માટે પોતે શું શું કર્યું એ વિશે પોતાનાં બણગાં ફૂંક્યાં, જૈન સમાજની કેટલીક ટીકા કરી, કેટલીક સલાહ આપી અને વક્તવ્ય પૂરું થતાં મુનિ મહારાજને નમસ્તે કરી ચાલ્યા ગયા. પરિણામે સમગ્ર કાર્યક્રમ ડહોળાઈ ગયો. અડધા લોકો ખાવા માટે ઊભા થઈ ગયા. તરત મહારાજ સાહેબે ટૂંકું વક્તવ્ય આપી માંગલિક ફરમાવ્યું અને કાર્યક્રમ પૂરો થયો.
જૂના વખતમાં રાજા રાજ્ય પર શાસન ચલાવે પણ સાધુ મહાત્માને વંદન કરે. ભારતીય સંસ્કૃતિમાં રાજ્યસત્તા કરતાં ધર્મસત્તાને ચડિયાતી ગણવામાં આવે છે. જે રાજા સાધુઓને સતાવે છે તે વિનાશ નોંતરે છે. પ્રજા પણ ધર્મગુરુને વધારે માન આપે છે. કોઈ સભામાં રાજા પધારે ત્યારે એમને માન આપવા સમસ્ત મહાજન ઊભું થઈ જાય છે, પણ સાધુઓ પોતાના સ્થાને બેઠેલા રહે છે. (ઘણાં વર્ષો પહેલાં એક સભામાં રાષ્ટ્રપતિ પધાર્યા ત્યારે મંચ પર બેઠેલા સર્વ મહાનુભાવો ઊભા થઈ ગયા. તે વખતે એક મુનિ પણ ભૂલમાં ઊભા થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org