________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
રાજપુરુષ પોતાની કંઈ સમસ્યા હોય તો મુનિ મહારાજને મળવા આવે, એમની પાસે વાસક્ષેપ નખાવે. ચૂંટણી પ્રસંગે જ્યારે પોતે ઊભા રહ્યા હોય ત્યારે મહારાજશ્રી પાસે વાસક્ષેપ નંખાવા અવશ્ય આવે. એક વખત તો વ્યાખ્યાન ચાલુ હતું અને એ નેતા આવી પહોંચ્યા. તેઓ ઉતાવળમાં હતા. મહારાજશ્રીએ તરત વ્યાખ્યાન માંગલિક કર્યું અને ઉ૫૨ જઈ એ નેતા સાથે વાટાઘાટ કરવા બેસી ગયા. વસ્તુતઃ રાજદ્વારી નેતાઓ સાથેનો સંબંધ પણ એવો હોવો જોઇએ કે જેથી પોતાનાં આવશ્યક કર્તવ્યો ચૂકી ન જવાય.
બીજી બાજુ કેટલાક નેતાઓ પણ જબરા હોય છે. જૈન સમાજની અને કેટલાક સાધુઓની નબળાઈ તેઓ સમજતા હોય છે. એક વખત એક દેરાસરના પટાંગણમાં કોઈક આચાર્ય મહારાજની સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે એક મુનિ મહારાજની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો હતો. શ્રોતાઓની ઘણી મોટી સંખ્યા હતી, કારણ કે કાર્યક્રમ પછી સ્વામિવાત્સલ્ય હતું. કાર્યક્રમ શરૂ થયાને થોડીવાર થઈ હશે. ત્યાં તો પોલીસની સાઇરન કાર સાથે બીજી ગાડીઓ આવી પહોંચી. એક ગાડીમાંથી મિનિસ્ટર ઊતર્યાં. એમની આસપાસ બીજા માણસો દોડાદોડી કરવા લાગ્યા. કાર્યક્રમના આયોજકો અચંબામાં પડી ગયા. મિનિસ્ટર સીધા મંચ પર આવ્યા. તેમને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું. મિનિસ્ટરે આયોજકોને બોલાવ્યા અને ખાનગીમાં ખખડાવ્યા, ‘આવો મોટો કાર્યક્રમ કરો છો અને મને કાર્ડ પણ મોકલતા
૩૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org