________________
संसग्गि असाहु राइहिं।
૩૦૩
હોય છે. કેટલાક રાજાઓ કે રાજદ્વારી પુરુષો વિવિધ વ્યસનોથી ગ્રસિત હોય છે. વળી રાજકારણ હંમેશાં કુટિલતાભરેલું, દાવપેચવાળું હોય છે. એટલે સાત્ત્વિક ગુણવાળા સાધુ મહારાજ રાજદ્વારી પુરુષોના ગાઢ સંપર્કમાં રહે તો સમય જતાં એમની વિચારધારા અને વ્યક્તિત્વ પણ રજસ્ અને તમસ્ ગુણથી પ્રભાવિત થયા વગર રહે નહિ.
રાજાઓ કે રાજદ્વારી નેતાઓ સાથેનો સંબંધ માનકષાયનું મોટું નિમિત્ત બને છે. રાજદ્વારી નેતાઓ પાસે જો સત્તાસ્થાન હોય તો એ જ્યાં જાય ત્યાં એમના મંત્રીઓ, અંગરક્ષકો, પોલીસો, ચપરાસીઓ વગેરેની દોડાદોડ હોય છે. એમને જોવા માટે લોકોની પડાપડી હોય છે. પત્રકારો, ફોટોગ્રાફરોની ધૂમાબૂમ હોય છે. નેતામાં પોતાનામાં સત્તાની સભાનતા હોય છે. આવા મોટા નેતા પોતાને વંદન કરે છે એવો ભાવ અંતરમાં પડેલા સૂક્ષ્મ માનકષાયને પોષે છે જે જીવને અધ્યાત્મમાર્ગમાંથી પાછો પાડે છે. વર્તમાન સમયમાં ફોટા, વિડિયો, ટી.વી.ની બોલબાલા છે. એટલે મોટા રાજદ્વારી નેતા પોતાની પાસે વાસક્ષેપ નખાવે છે, ફોટો લેવાય છે એથી અહંકાર પોષાય છે. અંતર પડેલો સૂક્ષ્મ માનકષાય વધુ ગાઢ થાય છે.
સાધુઓને નેતાઓની લત ન લાગવી જોઇએ. નેતા સાથેનો ફોટો પોતાના મનમાં ગૌરવનો વિષય ન બનવો જોઇએ. સાધુપણાનું ઔચિત્ય જાળવવું જોઇએ. એક મુનિ મહારાજને એક રાજદ્વારી નેતા સાથે સારો સંબંધ થઈ ગયો હતો. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org