________________
૩૦ ૨
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
પમાડ્યા એને કારણે એમના વખતમાં વરસમાં કુલ છ મહિના જેટલો સમય કતલખાના બંધ રાખવા માટે ફરમાનો નીકળ્યાં હતાં. આવાં બીજાં ઘણાં ઉદાહરણ મળી શકે.
સાધુ સંન્યાસીઓ માટે સામાન્ય લોકોમાં એવી શ્રદ્ધા રહે છે કે તેઓ પાસે વિદ્યા, મંત્ર, જડીબુટ્ટી, વાસક્ષેપ, માદળિયું, રક્ષાપોટલી, વગેરે કંઈક હોય છે અને તેના વડે તેઓ લોકોનાં દુ:ખ દૂર કરી શકે છે, ધન-સંતાનની પ્રાપ્તિ કરાવી શકે છે, કોર્ટકચેરી, ચૂંટણી કે યુદ્ધમાં વિજય અપાવી શકે છે. જૂના વખતમાં યુદ્ધ કરતાં પહેલાં રાજાઓ પોતાના ધર્મગુરુના આશીર્વાદ લેતા. હાલ કેટલાયે નેતાઓ ચૂંટણી વખતે સાધુ મહારાજ પાસે વાસક્ષેપ નખાવા આવે છે અને જો જીતી જાય તો એમની શ્રદ્ધા બમણી થાય છે. સાથે સાથે સાધુમહારાજને પોતાની શક્તિ માટે ગૌરવ થાય છે. ભક્તો એનો પ્રચાર કરે છે. પછી ભીડ જામે છે. પરંતુ આ બધું કરવામાં સાધુ મહારાજને પછી જપ-તપ, જ્ઞાન-ધ્યાન માટે, આત્મસાધના માટે સમય રહેતો નથી. રાત્રે પણ એમની પાસે અવરજવર ચાલુ રહે છે. કેટલાક સાધુ મહાત્માઓ આવો વ્યવહાર કરતાં હોવા છતાં તેના પર સમયમર્યાદા મૂકે છે અને સાધનાનું પોતાનું લક્ષ્ય ચૂકતા નથી. કેટલાક મહાત્માઓ સાંજનું પ્રતિક્રમણ કર્યા પછી કોઈને મળતા નથી અને શિષ્યો સાથે પણ ખપ પૂરતી વાત કરે છે. રાજદ્વારી પુરુષો બહુધા રજસ્ અને તમન્ ગુણથી ભરેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org