SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ संसग्ग असाहु राइहिं । નીવડે છે. લોકશાહીના જમાનામાં વખતોવખત કાયદા બદલાતા જાય છે. શાસનના હિતનો પ્રશ્ન આવે ત્યારે સરકારી સંબંધોથી કાર્ય ત્વરિત થાય છે. કોઈ પણ વાતને ઇરાદાપૂર્વક વિલંબમાં નાખવાની કે બીજાને પરેશાન કરવાની ક્ષમતા અને આવડત સત્તાધીશોની પાસે હોય છે. કાયદા આગળ કોઈનું કશું ચાલતું નથી, પણ સત્તાધીશો કાયદો બદલી શકે છે. અથવા એનો અમલ વિલંબમાં નાખી શકે છે. એટલે કોઈ સાધુ મહાત્માઓ રાજનેતાઓ સાથે સંપર્ક રાખે એ શાસનના હિતની દૃષ્ટિએ ઉપયોગી મનાય છે. પરંતુ યાદ રાખવું જોઇએ કે રાજકારણમાં પક્ષાપક્ષી હોય છે. એટલે સાધુ મહાત્માઓએ પક્ષાપક્ષીમાં પડવું ન જોઇએ. વળી એ પણ સમજવું જોઇએ કે આ વ્યવહાર–દૃષ્ટિએ ઉપયોગી છે. એથી મોક્ષમાર્ગની આરાધનાને અવશ્ય અસ૨ પહોંચે છે. જે મહાત્માઓ સમર્થ અને પ્રભાવક છે તેઓ પોતાની આત્મસાધનાની સાથે સાથે રાજદ્વારી વ્યક્તિઓ સાથે પોતાની મર્યાદામાં રહીને સંસર્ગ રાખે એ વ્યવહાર દૃષ્ટિએ ઉપયોગી મનાય છે. શ્રી હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજ જયસિંહ અને રાજા કુમારપાળ સાથે સતત સંપર્ક હતો. એથી શાસનને લાભ જ થયો છે. આઠ-નવ સેકાથી ગુજરાત મુખ્યત્વે શાકાહારી રહ્યું છે. એનાં મૂળ હેમચંદ્રાચાર્ય અને રાજા કુમારપાળના સંબંધમાં રહ્યાં છે. શ્રી હીરવિજયસૂરીશ્વરે અકબર બાદશાહને પ્રતિબોધ Jain Education International ૩૦૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy