________________
૩૦૦
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
કાવાદાવામાં તેઓ વગર ઇચ્છએ સંડોવાય છે. તેમનું નામ વગોવાય છે. ક્યારેક તેઓને કોઈ એક પક્ષ લેવાની જરૂર પડે છે. ક્યારેક તેમની અપકીર્તિ થાય છે.
જે મહત્માઓ કેવળ આત્મસાધનામાં જ મગ્ન રહેવા ઇચ્છતા હોય તેઓએ રાજદ્વારી પુરુષોનો સંસર્ગ રાખવાની બિલકુલ આવશ્યકતા નથી, કારણ કે એવો સંસર્ગ તેમની આત્મસાધનામાં બાધારૂપ બને છે. આવા મહાત્માઓ તો ગૃહસ્થો સાથે પણ બહુ સંસર્ગ રાખતા નથી. સાધુઓએ આહારપાણી, આવાસ વગેરે માટે સંઘની વ્યવસ્થાનો આશ્રય લેવો પડે છે. વ્યાખ્યાન, સંઘના શ્રાવક-શ્રાવિકાની તપશ્ચર્યા, ઉત્સવો, ક્રિયાવિધિ ઇત્યાદિ માટે સંઘ સાથે વ્યવહાર રહે છે. પરંતુ તેઓ તેનાથી લેવાતા નથી. કામ પૂરું થતાં તેઓ પોતાની સાધનામાં લાગી જાય છે.
તો શું સાધુ મહારાજે રાજા કે રાજદ્વારી વ્યક્તિઓ સાથે ક્યારેય સંબંધ ન રાખવો જોઇએ ? ના, એમ તો ન કહી શકાય. ભગવાને જે કહ્યું છે તે નિશ્ચય દૃષ્ટિથી કહ્યું છે અને એ જ સાચું છે, તેમ છતાં વ્યવહારદૃષ્ટિથી રાજ્યસત્તા સાથેનો સંપર્ક ઇષ્ટ ગણાય છે. શાસન ઉપર જ્યારે આપત્તિ આવી પડે, અન્ય ધર્મના ઝનૂની લોકોનું સાધુઓ ઉપર, તીર્થો ઉપર, શ્રાવકો ઉપર આક્રમણ થાય ત્યારે રક્ષણ માટે રાજ્યસત્તાનો આશ્રય લેવો પડે છે. સંઘમાં જ બે પક્ષ પડી જાય અને કલહ ઉગ્ર બની જાય ત્યારે રાજ્યસત્તાની દરમિયાનગીરી ઉપયોગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org