SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ भोगी भइ संसारे [વિષયોમાં આસક્ત જીવ લોકમાં એટલે કે સંસારમાં પરિભ્રમણ કરે છે.] સ્થૂલ ઇન્દ્રિયોથી માણસો ભોગ ન ભોગવતા હોય તો પણ તેમના ચિત્તમાં તે ઇન્દ્રિયોના પદાર્થો માટેનો અનુરાગ જો હોય તો તેવા માણસો ભોગી જ ગણાય. ક્યારેક સ્થૂલ ભોગવટા કરતાં પણ આવા માનસિક ભોગવટામાં તીવ્રતા વધુ હોય છે. સ્થૂલ ભોગવટો તો પ્રાયઃ એક જ વાર હોય, પણ માનસિક ભોગવટો તો વારંવાર, અનેકવાર હોઈ શકે છે. અનેક ગરીબ લોકોને લૂખુંસૂકું ખાવાનું મળતું હોય છે. તેઓ ખાય છે ત્યારે તેમાં તેમને એટલો રસ પડતો નથી. તેઓ ખાતી વખતે રાજીરાજી થાય એવું પણ ઓછું બને છે. પરંતુ તેથી ખાવા માટેની તેમની આસક્તિ ઓછી થઈ ગઈ છે એમ ન કહેવાય. સરસ ભોજન મળતાં તેઓ પ્રસન્ન થઈ જાય છે અને એવું વારંવાર મળે એવી વૃત્તિ પણ રહે છે. મતલબ કે સ્વાદિષ્ટ ભોજન માટેની તેમની આસક્તિ તો અંતરમાં પડેલી હોય છે. લૂખાસૂકા આહાર વખતે તે પ્રગટ થતી નથી. કેટલાક મહાત્માઓએ બીજો બધો ત્યાગ કર્યો હોય છે. ઘરબાર, કુટુંબપરિવાર, માલમિલકત એમણે ત્યાગી દીધાં હોય છે. આમ છતાં ભોજન માટેનો એમનો રસ છૂટતો નથી. કોઈકને પ્રશ્ન થાય કે અભોગી કર્મથી લેપાતો નથી અને અભોગી કર્મથી મુક્ત થાય છે એમ કહ્યું છે, પરંતુ જીવનના Jain Education International ૨૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy