SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ‘ભોગી ભમઈ સંસારે' એમ જે ભગવાને કહ્યું છે તે એક જન્મની દૃષ્ટિએ નહિ, પણ જન્મજન્માન્તરની દૃષ્ટિએ, કર્મની જંજિરોની દૃષ્ટિએ કહ્યું છે. જીવનું જન્માન્તરનું પરિભ્રમણ સંસારમાં સતત ચાલતું જ રહે છે. આ ચક્ર ચાલવાનું મુખ્ય કારણ તો ભોગ ભોગવવા માટેની લાલસા છે. અર્થાત્ ભોગો માટેનો રાગ છે, આસક્તિ છે. ૨૩૦ જ્યાં સુધી ભોગવૃત્તિ છે, ભોગબુદ્ધિ છે ત્યાં સુધી કર્મબંધની પરંપરા તો ચાલુ જ રહેવાની. જ્યાં સુધી કર્મપરંપરા છે ત્યાં સુધી મુક્તિ નથી. એટલે ભોગી જીવને સંસારમાં પરિભ્રમણ જ કરવાનું રહે છે. સામાન્ય રીતે લોકો પોતાનું જીવન સુખી બનાવવા માટે ઉદ્યમશીલ રહે છે. સુખની વ્યાખ્યા અને કલ્પના દરેકની જુદી જુદી હોય છે. આહાર, વસ્ત્ર, વસતિ એ માણસનાં સુખનાં પ્રાથમિક સાધનો છે. પરંતુ માત્ર સાધનો કે પદાર્થો જ નહિ, એમાં રહેલી આસક્તિ એ જ મોક્ષમાર્ગમાં મોટો અંતરાય છે. ‘આચારાંગસૂત્ર'માં કહ્યું છેઃ कामेसु गिद्धा णिचयं करेन्ति, संसिच्चमाणा पुणरेन्ति गब्भं । [કામભોગમાં ગૃદ્ધ એટલે કે આસક્તિ રાખનાર જીવ કર્મોનો સંચય કરે છે. કર્મોથી બંધાયેલો જીવ ફરી ગર્ભવાસમાં આવે છે.] આચારાંગસૂત્રમાં અન્યત્ર કહ્યું છે : द्धिए लोए अणुपरियट्टमाणे || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy