________________
भोगी भमइ संसारे
૨ ૨
૯
ભોગવતી વખતે ક્ષણિક પૂલ સુખ હોય છે, પણ પછી એ દુઃખનાં નિમિત્ત બની જાય છે. જો પદાર્થોના ભોગવટાથી માત્ર સુખ જ હોય તો સંસારમાં દુઃખ હોય નહિ. પણ આ ભોગવટો જ દુઃખને-ઈર્ષા, દ્વેષ, કલહ, કંકાશ, લડાઈ, યુદ્ધ વગેરેને નોતરે છે. એટલે જ્યાં સ્થૂલ ભૌતિક સુખ છે ત્યાં દુઃખ પણ છે જ. વળી એ સુખ પણ તત્કાલીન, ક્ષણિક હોય
છે.
ઉત્તરાધ્યયનસૂત્ર'માં ભગવાને કહ્યું છે: खममेत्तसोक्खा बहुकालदुक्खा पकामदुक्खा अनिकामसोक्खा। संसारमोक्खस्स विपक्खभूया खाणी अणत्थाण उकामभोगा।।
આ કામભોગો ક્ષણભર સુખ અને બહુકાળ દુઃખ આપનારા છે, ઘણું બધું દુઃખ અને થોડુંક સુખ આપનારા છે. તે સંસારમુક્તિના પ્રતિપક્ષી-(વિરોધી) છે અને અનર્થોની ખાણ જેવા છે.
ભોગી ભઈ સંસારે એનો વિપરીત અર્થ કરીને કોઈ એમ પણ માને કે જેણે સંસારના ભોગ ભોગવવા છે એને સંસારમાં બધે ભમવું જોઈએ. જ્યાં જ્યાં ભોગ ભોગવવાનાં સ્થાનો છે ત્યાં પહોંચી જવું જોઇએ. જેણે ભોગ ભોગવવા છે એણે ભમતા રહેવું જોઇએ. વર્તમાન કાળમાં તો ભમવા માટેનાં ઝડપી વાહનો વધ્યાં છે એટલે સમગ્ર દુનિયામાં ભમવાની–ભોગ ભોગવવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. પરંતુ આ મોટું અજ્ઞાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org