________________
૨૪
थोवं लधुं न खिंसऐ। [થોડું મળતાં ખેદ ન કરવો]
ભગવાન મહાવીરે સાધુઓની આચારસંહિતા એવી વિગતસભર દર્શાવી છે કે જે સાધુઓના સંયમ-જીવનમાં અને એમની આધ્યાત્મિક સાધનામાં અત્યંત ઉપયોગી બને છે. કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ સૂઈ જવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ગોચરી લેવા નીકળવું, ગોચરી વહોરતી વખતે કેવું ધ્યાન રાખવું, ગોચરી કેવી રીતે વાપરવી, વિહાર કેવી રીતે કરવો વગેરે અનેક બાબતોમાં બહુ દીર્ધદષ્ટિપૂર્વક ભગવાન મહાવીરે સાધુઓને ભલામણ કરી છે.
જૈન સાધુઓની ગોચરીની પ્રથા વિલક્ષણ અને અદ્વિતીય છે. નીરસ, લુખ્ખા આહાર ઉપર તથા ઉણોદરી ઉપર એમાં ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. ભગવાન મહાવીરે દસકાલિક સૂત્રમાં કહ્યું છે ?
अतिंतिणे अचवले अप्पभासी मियासणे।
हविज्ज उवरे दंते थोवं लधुं न खिंसए ॥ [ મુનિ આવેશમાં ન બોલનાર, ચંચલતારહિત, અલ્પભાષી, મિતભોજી, ઉદરનું દમન કરનાર તથા થોડું મળતાં ખેદ (અથવા ચીડ) ન કરનાર હોય.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org