________________
अदीणमणसो चरे।
૨૭૭
છે, તત્ત્વદૃષ્ટિ છે ત્યાં દીનતા હોતી નથી, ટકતી નથી. સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી જીવને સંસારમાં ક્યાંય દીનતા દર્શાવવા જેવું રહેતું નથી. જીવ એટલા ઊંચા આત્મભાવમાં આવી જાય છે કે બાહ્ય પ્રતિકૂળતાઓનું એની પાસે કશું ચાલતું નથી.
એટલા માટે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રી શાન્તિનાથ ભગવાનના સ્તવન “હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં' માં કહ્યું છેઃ
ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ ! તુજ સમકિત દાનમેં; પ્રભુ ગુણ અનુભવકે રસ આગે; આવત નહિ કોઉ માનમેં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org