________________
थोवं लधुं न खिंसऐ।
૨૭૯
ગોચરી અસાધુ મહારાજોના ચિત્તના અધ્યવસાયોની કસોટી કરનારી પ્રવૃત્તિ છે. કોઈક ધરે સારો આહાર મળે, તો કોઈક ઘરે જેવો તેવો નીરસ આહાર મળે; કોઈક ઘરે વાનગીઓ સરસ હોય પણ વહોરાવવામાં ભાવ ન હોય, તો કોઈક ઘરે વાનગીઓ થોડી અને સાધારણ હોય પણ આવકાર બહુ સારો મળે; કોઈક ઘરે આદર બહુમાન ન મળે તો વળી કોઈક વહોરાવનાર વહોરાવતાં વિચાર પણ કરે કે “પછી ઘરનાંને માટે શું રહેશે? કોઈક વાનગી માટે ફરીથી ચૂલો સળગાવવો પડશે.” કોઈ ઘરે વહોરાવનારનો ભાવોલ્લાસ ધરનાં સૌના ચહેરા પર દેખાઈ આવે.
ગોચરીમાં જ્યારે થોડું મળે અથવા ગોચરી વાપરતી વખતે પોતાની ઇચ્છા હોય એના કરતાં ગુરુ મહારાજ ઓછું આપે ત્યારે ચિત્તની પ્રસન્નતા જાળવી રાખવી, અધ્યવસાયને જરા પણ વિચલિત ન થવા દેવા એમાં સાધુ મહારાજની ઘણી મોટી પરીક્ષા રહેલી છે.
થોડું મળતાં ખેદ ન કરવો જોઈએ. આપનારની ટીકા-નિંદા ન કરવી જોઈએ. સામાન્ય માણસ ભૂખ્યો હોય અને ઉદરતૃપ્તિ ન થાય તો એનો મિજાજ છટકે છે. પરંતુ સાધુ મહારાજ સામાન્ય માનવી નથી. એમના જીવનમાં સમદર્શિતા હોવી જોઈએ. ભગવાને આમ તો સાધુઓની ગોચરીના સંદર્ભમાં આ વચન કહ્યું છે, પરંતુ જીવનના સામાજિક અને આધ્યાત્મિક એવા સર્વ સ્તરે એનો વ્યાપક અર્થ ઘટાવી શકાય એવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org