________________
૨૮૦
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
સંસારનો એવો ક્રમ નથી કે દરેક વખતે મનુષ્યને પૂરતા પ્રમાણમાં બધું સરખું મળી રહે. કોઈકને વધુ મળે અને કોઈકને ઓછું મળે.એમાં માનવસ્વભાવની ત્રુટિ પણ હોઈ શકે અને કુદરતી કારણો પણ હોઈ શકે. એક પ્રદેશમાં પાણી, ધનધાન્ય ઇત્યાદિની વિપુલતા હોય અને અન્ય પ્રદેશોમાં દુકાળ જેવી સ્થિતિ હોય. એક પ્રદેશમાં કામ ઘણું હોય પણ કામ કરનારા મળતા ન હોય અને અન્ય પ્રદેશમાં કામ કરવાની લાયકાત ધરાવનાર ઘણાં હોય, પણ મોટાભાગના બેકાર હોય. પૃથ્વી ઉપર દરેક વાતે સદા સર્વદા સમતુલા હોતી નથી, હોઈ શકતી નથી. આવી અસમાન પરિસ્થિતિમાં વધુ કે ઓછાની પ્રાપ્તિનો પ્રશ્ન હંમેશા રહેવાનો. એટલે પોતાની ધારણા કરતાં ઓછું મળવાની ઘટનાઓ પણ હંમેશાં બનતી રહેવાની.
વ્યવહારમાં માણસ આપવા-લેવાનો ક્રમ બરાબર સાચવે છે. બજારૂ લેવડ-દેવડમાં ઓછું આપવાની વૃત્તિ દેખાશે, પણ ઓછું લેવાની નહિ. જ્યાં સોદાઓ નથી ત્યાં વધઘટની ઘટનાઓ નભાવી લેવાય છે.
માણસનો જીવન પ્રત્યેનો અભિગમ જ્યારે વિપરીત અને નિષેધાત્મક હોય છે ત્યારે દરેક વિષયમાં એને ત્રુટિ જ જણાય છે. ચકોર દોષદૃષ્ટિ ધરાવનારની છિદ્રો પર નજર તરત પડે છે. ન હોય ત્યાં પણ એ છિદ્રો બતાવી શકે છે અથવા પોતાના ફળદ્રુપ ભેજામાંથી તે ઉપજાવી શકે છે. સૌને ગમી જાય એવું મૂલ્યવાન વસ્ત્ર હોય છતાં રંગ, ભાત, પોત, કિનાર, પાલવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org