________________
माणं मद्दवया जिणे।
૨
૨
૩
આત્મગુણ પરિપૂર્ણ સ્વરૂપે ખીલી ન શકે.
જીવ જ્યારે અંતર્મુખ બને, પોતાના ઉપયોગને અંદર વાળે અને અનુભવે કે માર્દવ મારો સ્વભાવ છે, માનકષાય મારો સ્વભાવ નથી, ત્યારે માનકષાય એને નડતો નથી. માન કે અપમાનની કોઈ પ્રતિક્રિયા એનામાં થતી નથી. પરંતુ જીવ જ્યારે પર્યાયમાં ચાલ્યો જાય છે, વિભાવદશામાં આવી જાય છે ત્યારે માન અને સન્માન એને ગમે છે અને અપમાન એને ગમતું નથી. અપમાનનો તે બચાવ કે પ્રતિકાર કરવા પ્રયાસ કરે છે. એ જ એની પર્યાયબુદ્ધિ છે. કુંદકુંદાચાર્યે પ્રવચનસારમાં કહ્યું છે કે પMવમૂઢ દિ પરસમય એટલે કે જે પર્યાયમાં મૂઢ છે, જે પર્યાયમાં મુગ્ધ છે, આસક્ત છે તે પરસમય છે, તે વિભાવદશા છે. દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે. न वाहिरं परिभवे, अत्ताणं न समुक्कसे ।
सुअलाभे न मज्जिज्ज। जच्चा तवस्सि बुद्धिए ।। . [ બીજાનો તિરસ્કાર ન કરો. “હું જ્ઞાની છું, લબ્ધિવાન છું, જાતિસંપન્ન છું, તપસ્વી છું, બુદ્ધિમાન છું'-એમ પોતાને મોટા ન સમજો ]. સૂત્રકૃતાંગમાં કહ્યું છેઃ मयाणि एयाणि विगिंच घीरा, नं ताणि सेवंति सुधीरधम्मा। सव्वगोता वगया महेसी, उच्चं अगोतं च गई वयंति ।। ધીરપુરુષે આવા મદનો ત્યાગ કરવો જોઈએ. સુધીરધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org