________________
सित्थेण दोणपागं, कवि च एक्काए गाहाए।
ચિત્ર જુએ એ એક સ્થિતિ છે અને પહેલાં ચિત્ર જુએ અને પછી સાક્ષાત્ જુએ એ બીજી સ્થિતિ છે. બંનેમાં ફરક છે. બાળકની અનુમાનશક્તિ બંનેમાં કામ કરે છે.
જૈન ધર્મમાં વિવિધ પ્રકારનાં જે પ્રમાણો બતાવ્યાં છે તેમાંનું એક તે અનુમાન પ્રમાણ છે. ‘જ્યાં ધૂમાડો ત્યાં અગ્નિ' એ એનું પ્રસિદ્ધ ઉદાહરણ છે.
૨૩૯
‘અનુમાન પ્રમાણ’ના પણ જુદા જુદા પ્રકારો બતાવવામાં આવ્યા છે. એમાંનો એક પ્રકાર તે શેષવત્ અનુમાન છે.
શેષવત્ અનુમાનના વળી પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છેઃ (૧) કાર્યથી, (૨) કારણથી, (૩) ગુણથી, (૪) અવયવથી અને (૫) આશ્રયથી.
કાર્ય જોઇને કારણનું અનુમાન થાય તે કાર્યલિંગજન્ય શેષવત્ અનુમાન કહેવાય છે. ઉ. ત. શંખનો ધ્વનિ સાંભળીને અનુમાન થાય કે આ શંખનો ધ્વનિ છે. કાગડાનો કા....કા અવાજ સાંભળીને મનમાં નક્કી થાય છે કે આ કાગડાનો અવાજ છે. એ જ રીતે વિવિધ પશુપક્ષીઓના અવાજ સાંભળીએ અથવા આપણને પરિચિત હોય એવા માણસોના અવાજ સાંભળીએ કે ચીજવસ્તુઓના ધ્વનિ સાંભળીએ એટલે કે તે કાર્ય થાય અને ત્યારે તેના કારણરૂપ વ્યક્તિ, વસ્તુ કે પશુપક્ષી પરોક્ષ હોય તો પણ આપણે તેને પારખી લઇએ છીએ. આવા અનુમાનમાં બહુ બુદ્ધિશક્તિની જરૂર નથી. થોડો મહાવરો બસ છે. આ અનુમાનને ‘કાર્યલિંગજન્ય શેષવત્' કહેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org