SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ ક૨વું પડે છે. એક બે મોતી જુદા ખોટા રંગ-કદનાં આવી જાય તો આખી સેરની શોભા બગડે છે. ૨૩૮ ચીજવસ્તુની પરખ માટે મહાવરાથી માણસોની શક્તિ ખીલે છે. જરાક નજર કરતાં જ માણસ એમાં રહેલી ત્રુટિને પારખી શકે છે. કેટલાક માણસની નજર એવી ઝીણી અને ચકોર હોય છે કે એની નજરમાંથી કશું છટકી ન શકે. નાના બાળકમાં સમજશક્તિનો ક્રમે ક્રમે વિકાસ થાય છે. આગળ જતાં તેનામાં પણ અનુમાનશક્તિ વિકસે છે. પછીથી એક અવયવ પરથી તે અવયવીનું અનુમાન કરી શકે છે. મારા પોતાના અનુભવની વાત કહું તો મારી દૌહિત્રી ગાર્ગી એકદોઢ વર્ષની હતી ત્યારે એને ગાય, ઘોડો, સિંહ, હાથી વગેરેનાં ચિત્ર દોરીને તેને ઓળખતાં શીખવાડ્યું. પછી હાથીનું માત્ર મોંઢું અને દંતશૂળ દોરીએ તો પણ તે તરત કહી આપે કે એ હાથી છે. પશુપક્ષીની થોડીક લાક્ષણિક રેખા જોતાં જ તે તરત કહી શકતી. એ બતાવે છે કે નાના બાળકમાં પણ અનુમાનશક્તિ ખીલવા લાગે છે. ગાર્ગીએ ત્રણેક વર્ષની થઈ ત્યાં સુધી માત્ર ચિત્રમાં જ હાથી જોયો હતો. એને માટે એ જ સાચો હાથી હતો. એણે સાક્ષાત્ હાથી જોયો નહોતો. એક દિવસ રસ્તામાં હાથી આવેલો તે જોવા હું એને લઈ ગયો. હાથીને જોઈ તે અચંબો પામી. એણે પ્રશ્ન કર્યો., ‘દાદાજી, હાથી આવો પણ હોય ? હાથી ચાલે પણ ખરો ?' બે ત્રણ વર્ષનું બાળક પહેલાં સાક્ષાત્ પશુપક્ષી જુએ અને પછી એનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy