________________
૨૪૦
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
આવે છે.
આવી જ રીતે જ્યારે કારણ પ્રત્યક્ષ હોય ત્યારે કાર્યનું અનુમાન કરીએ ત્યારે તેને કારણલિંગજન્ય શેષવત્ અનુમાન કહેવામાં આવે છે. જેમ કે માટીનો પિંડ ઘડાનું કારણ છે, પણ ઘડો માટીનું કારણ નથી. તંતુઓ પટનું કારણ છે, પણ પટ તંતુનું કારણ નથી. આને કારણલિંગજન્ય શેષવત્ અનુમાન કહેવામાં આવે છે.
ગુણલિંગજન્ય શેષવત્ અનુમાનમાં ગુણ પ્રત્યક્ષ હોય છે અને ગુણી પરોક્ષ હોય છે. સુગંધનો અનુભવ થાય તે વખતે આપણે અનુભવના આધારે અનુમાનથી કહીએ છીએ કે આટલામાં ક્યાંક ગુલાબ હોવાં જોઈએ. અથવા મોગરો, ચંપો વગેરે હોવાં જોઈએ. ગુલાબ કે મોગરો કે ચંપો પ્રત્યક્ષ નથી પણ સુગંધથી એનું અનુમાન કરીએ છીએ. અમુક પ્રકારની દુર્ગધ આવતી હોય તો આપણે અનુમાન કરીએ છીએ કે આટલામાં ક્યાંક ગટર હોવી જોઈએ અથવા તેવું કોઈ કારખાનું હોવું જોઈએ. અથવા રસ્તા પરથી પસાર થતા હોઈએ તો અનુમાન થાય કે ક્યાંક ગાય કે કૂતરાનું શબ પડ્યું છે. આવા અનુમાનને ગુણલિંગજન્ય શેષવત્ અનુમાન કહેવામાં આવે
આવી જ રીતે અવયવ પ્રત્યક્ષ હોય પણ અવયવી પ્રત્યક્ષ ન હોય તો અવયવ ઉપરથી અવયવીનું અનુમાન કરીએ તે અવયવલિંગજન્ય શેષવત્ અનુમાન કહેવાય છે. ઉદાહરણ તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org