________________
सित्थेण दोणपागं, कविं च एक्काए गाहाए।
૨
૪ ૧
હાથીદાંત જોતાં હાથીનું, મોરપિચ્છ જતાં મોરનું, અમુક પ્રકારના પહેરવેશ પરથી તે સેનિક છે એવું અથવા ધૂળમાં પગલાં પડ્યાં હોય તો તે કોનાં પગલાં છે તેનું અનુમાન કરીએ તો તેવા પ્રકારના અનુમાનને અવયવલિંગજન્ય અનુમાન કહેવામાં આવે છે. પગનો માત્ર અંગૂઠો જોયો હોય અને તેના પરથી વ્યક્તિનું આખું સરસ ચિત્ર દોરી આપનારા ચિત્રકારો હતા.
કેટલીક વસ્તુઓને એના એક નાના અવયવ પરથી ઓળખી શકાય છે કે ઓળખાવી શકાય છે. એ અવયવ એના એક મુખ્ય લક્ષણરૂપ હોવો જોઇએ. એ એની વિશિષ્ટતા દર્શાવતો હોવો જોઇએ. પાંચ પંદર છોકરાઓ હોય અને કોઈ કહે, “પેલા માં નરી આંખવાળાને બોલાવજો.” તો એમાં માંજરી આંખવાળાને આપણે બોલાવીએ છીએ. એના શરીરમાંનો એક લાક્ષણિક અવયવ તે એની આંખો છે. એ આંખો બીજા કરતાં જુદી છે. એ એની લાક્ષણિકતારૂપ છે. માટે તેને માત્ર માંજરી આંખથી ઓળખી શકાય છે. પશુપક્ષીઓને ઓળખવા માટે પણ એના લાક્ષણિક અંગ કે અવયવનો આશ્રય લઈ શકાય
છે.
આશ્રયલિંગજન્ય શેષવત્ અનુમાન એટલે આશ્રયી પરોક્ષ હોય અને તેના આશ્રયે જે વસ્તુ હોય તે પ્રત્યક્ષ હોય તો એથી આશ્રયીનું અનુમાન થઈ શકે. જેમ કે ધૂમાડો દેખાતો હોય, પ્રત્યક્ષ હોય પણ અગ્નિ ન દેખાતો હોય તો ધૂમાડા પરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org