SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૪ ૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ અગ્નિનું અનુમાન થાય. એવી રીતે જ્યાં બગલા ઊડતા હોય તો ત્યાં એટલામાં ક્યાંક પાણી હોવું જોઇએ એવું અનુમાન થાય. માણસના ચહેરા પરથી, અરે માત્ર એની આંખો પરથી એના મનમાં કેવા ભાવ કે વિચાર ચાલી રહ્યા છે તેનું અનુમાન કરી શકાય છે. લોકોકિત છે કે “પુત્રનાં લક્ષણ પારણામાંથી અને વહુનાં લક્ષણ બારણામાંથી.” મનુષ્યના સ્વભાવની લાક્ષણિકતાઓ એના વર્તનમાં પ્રતિબિંબિત થાય છે. માણસ ચાહે કે ન ચાહે, નાની નાની ઘટનાઓ પણ એના સ્વભાવની ચાડી ખાય છે. કોઇપણ મનુષ્યની લાક્ષણિકતાનો અભ્યાસ કરવા માટે એના સમગ્ર જીવનની તપાસ કરવાની જરૂર નથી. થોડીક કે એકાદ ઘટનાનું વિશ્લેષણ એના જીવનની પારાશીશીરૂપ બની શકે છે. પહેલાંના વખતમાં એક લોકોકિત પ્રચલિત હતી કે “લશ્કરકા ભેદ પાયા, આગેસે ગદ્ધા આયા.” પ્રાચીન સમયમાં લશ્કરમાં હાથી, ઘોડા વગેરે રહેતાં અને માલવાહક પ્રાણી તરીકે ખચ્ચર, ગધેડાં વગેરે પણ રહેતાં. સૈન્ય આગેકૂચ કરતું હોય ત્યારે આગળ હાથી, ઘોડા વગેરે મહત્ત્વનાં પ્રાણી હોય. સૈનિકો પાસે કેટલા હાથી અને કેટલા ઘોડા છે એના પરથી સૈન્યની તાકાતનું માપ જણાતું. પરંતુ કોઈ સૈન્ય આગેકૂચ કરતું હોય અને મોખરે ગધેડાનું નેતૃત્વ હોય તો એ નમાલું સૈન્ય છે. એમ તરત જણાઈ આવે. એવા લશ્કરને જીતવાનું અઘરું ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy