________________
૧ ૨૮
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
કરીએ તો જણાશે કે દુનિયાની વસ્તીના અર્ધાથી વધુ લોકો મધ્યમ કે નિમ્ન કક્ષાનું સાધારણ જીવન જીવી રહ્યા છે. કેટલાય લોકો અસહ્ય ગરીબીમાં પોતાનું જીવન જેમતેમ પૂરું કરે છે. મનુષ્યજન્મ જાણે કે વેઠ–વૈતરું કરવા માટે એમને મળ્યો હોય એવું જોવા મળે છે.
દુનિયાના કેટલાયે દેશોમાં ઘરમાં એકલદોકલ રહેતાં સ્ત્રી કે પુરુષને, એના ઘરમાં રહેતો એનો નોકર જ એને મારીને એની ધનસંપત્તિ લઈને ભાગી ગયાના કિસ્સા બનતા રહે છે. વફાદાર નોકરોની પણ દાનત બગડે છે. સરકારી કાયદો અને ન્યાય જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી રક્ષણ આપી શકે છે, પરંતુ ખૂની કે ચોર ક્યારેય પકડાયા ન હોય તેવા ઘણા કિસ્સા પણ બને છે.
ઇ. સ. ૧૯૧૭ના ઓક્ટોબરમાં રશિયામાં લોહિયાળ ક્રાંતિ થઈ. ઝારવંશી રાજાઓને ઉથલાવી પાડવામાં આવ્યા. તે વખતે કેટલેય ઠેકાણે વેર લેવા નીકળેલા ગરીબ લોકોએ શ્રીમંતોને વીણી-વીણીને મારી નાખ્યા હતા. મારનાર વ્યક્તિ શ્રીમંતને નામથી પણ ઓળખતી ન હોય. અંગત રીતે એની સાથે કોઈ સંબંધ ન હોય. જે વેર હતું તે વ્યક્તિગત ન હતું. જે વેર હતું તે ગરીબાઇનું, શ્રીમંતાઈ પ્રત્યેનું વેર હતું. ત્યાં શ્રીમંતાઇના મૂળમાં અતિ પરિગ્રહની વૃત્તિ રહેલી હતી. ગરીબો પાસે રહેવાને સરખું ઘર ન હતું. પહેરવાને પૂરતાં કપડાં ન હતાં. ખાવાને માટે પરત ભોજન મળતું ન હતું. બીજી બાજ શ્રીમંતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org