SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ परिग्गह निविट्ठाणं वेरं तेसिं पवड्ढई દુનિયાનાં બજારોમાં રોજેરોજ નવો નવો માલ ઠલવાય છે અને લોકોના ઘર સુધી તે પહોંચાડવાનો, બલ્કે લોકોના ઘરમાં તે ઘુસાડવાનો. યુક્તિપૂર્વક પ્રલોભનો સહિત, પ્રયત્ન થાય છે. દુનિયાનું વર્તમાન અર્થકારણ એક જુદી જ પદ્ધતિએ ચાલી રહ્યું છે. તેથી લોકોને અવનવી ચીજો માટે આકર્ષીને તેમનું ધન કેમ ખેંચી લેવું એની શાસ્ત્રીય તાલીમ એવા એજન્ટોને અપાય છે. દુનિયામાં બધા જ લોકો એકસરખી આવકવાળા, એકસરખાં સાધન-સગવડ ધરાવનાર બને એવું ક્યારેય શક્ય નથી. આર્થિક અસમાનતાનું લક્ષણ લોકોમાં હંમેશ રહેવાનું. એટલે આર્થિક સમૃદ્ધિની સાથે લોકોમાં આર્થિક અસમાનતાનું તત્ત્વ આવ્યા વગર રહે નહિ. અસમાનતા જો આવે તો કુદરતી રીતે ત્યાં ઈર્ષ્યાનું તત્ત્વ પણ વગર આવ્યા વગર રહે નહિ. પ્રજાનો કેટલોક વર્ગ ખૂબ અમનચમન કરતો હોય અને બીજો મોટો વર્ગ બે ટંક ભોજન પણ પામતો ન હોય તો ત્યાં શ્રીમંતો પ્રત્યે દ્વેષ થયા વગર રહે નહિ. ગરીબ વર્ગની ધિક્કારની લાગણી તરત પ્રગટ ન થતી હોય, પરંતુ એવા સંજોગો ઊભા થતાં તરત પ્રગટ થાય છે અને ધિક્કારની સામુદાયિક લાગણી હિંસામાં પરિણમે છે અને તવંગર વર્ગ એનો ભોગ બને છે. ૧૨૭ દુનિયાના કેટલાક દેશોના થોડા કે વધુ લોકો અત્યંત સમૃદ્ધ બનેલા દેખાશે, પરંતુ સમગ્ર દુનિયામાં જાતે ફરીએ અને શહેરોથી દૂરદૂરના વિસ્તારોમાં ફરીને જો સરખું અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy