________________
आयंकदंसी न करेइ पावं
શકે છે તેનો ખ્યાલ આવે. કેટલાંક દુઃખો મારણાન્તિક હોય છે. એવાં ઘોરદુ:ખો માણસનો જીવ લઇને જંપે છે. માણસની વેદના એટલી બધી અસહ્ય હોય છે કે શરીર એની સામે ટકી શકતું નથી. વેદનાની ચીસો પાડતો પાડતો માણસ બેભાન બની જાય છે અને પછી મૃત્યુ પામે છે. એવાં કેટલાંક ભયંકર દુઃખોના તીવ્ર અનુભવ વખતે માણસને એમ થઈ જાય છે કે આના કરતાં તો જલદી મોત આવે તો સારું. મોતની ઇચ્છાને અમલમાં મૂકવાની તક મળે તો સારું. મોતની ઇચ્છાને અમલમાં મૂકવાની તક મળે તો માણસ દુઃખમુક્તિ માટે આત્મઘાત પણ કરે છે.
જ્યારે પાપનું સ્વરૂપ માણસને સમજાય છે ત્યારે એને એ પણ સમજાય છે કે દરેક જીવ પોતપોતાનાં કર્મ અનુસાર સાંસારિક સુખદુઃખ અનુભવે છે. એનો અર્થ એ થયો કે દરેકે પોતાનું દુ:ખ પોતે જ ભોગવવાનું રહે છે. બીજા કોઈ એમાં ભાગીદાર થઈ શકતા નથી કે કોઈ પોતાનું દુઃખ ઊછીનું લઈ શકતા નથી. બીજાઓ દુઃખમાં સહભાગી થઈ શકે છે, સહાનુભૂતિ ધરાવી શકે છે. દેખીતી વ્યવહારુ દૃષ્ટિએ કોઈ બીજાને આપત્તિમાંથી બચાવી શકે છે. એમ છતાં કર્મસિદ્ધાન્ત અનુસાર તો પોતાનાં કરેલાં કર્મનું ફળ દરેકે પોતે જ ભોગવવું પડે છે. ભગવાને કહ્યું છે કે તેનો સંય પુષ્ય, હોટું કુમવું ! પોતાની જે શારીરિક વેદના છે તે બીજા કોઈ લઈ શકતા નથી. નરકગતિમાં તો કોઇની સહાય કે સહાનુભૂતિ પણ પ્રાપ્ત થતી નથી. પોતાની એ વેદના તે પોતાના કોઈ અશુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org