________________
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
કર્મનું જ પરિણામ છે એમાં કશી શંકા નથી. કર્મ કોઇને છોડતું નથી. માટે જ કહ્યું છે કે ડીપ સ્માઈ ને સ્થિ મોવો | (કરેલાં કર્મમાંથી કોઇનો છુટકારો નથી.)
માણસ જો આતંકદર્શી બને એટલે કે દુઃખના સ્વરૂપને બરાબર ઓળખે તો સહજ રીતે જ એને દુઃખનાં કારણો સમજાય. કેવા પ્રકારનાં દુઃખો સંસારમાં છે અને તેની પાછળ કયાં કયાં પૂર્વબદ્ધ કર્મો કારણભૂત છે એ એને સમજાય છે. એવાં કોઈ પણ દુઃખ પોતાને ભોગવવાની ઇચ્છા નથી. પોતાને માથે એવાં કોઈ દુઃખ ન પડે એવી વૃત્તિ અને દૃષ્ટિ રહે તો જીવ એવાં કર્મ બાંધતો અટકે છે. કોઈક એવાં પાપકર્મો કરવામાંથી ઝડપથી વિરમી જાય છે તો કોઈક ધીમે ધીમે ક્રમે ક્રમે વિરમી જાય છે. કોઈને એવી પાપવૃત્તિથી અટકતાં એક કરતાં વધારે જન્મ પણ લાગે છે. કોઈક અટકે છે, વળી પ્રમાદવશ બની શિથિલ થઈ પાપ કરવા લાગી જાય છે અને જાગૃતિ આવતાં પાછા પાપથી અટકવા લાગે છે. પાપના સ્વરૂપને સમજવાની શક્તિ બધા જીવોમાં એકસરખી નથી હોતી; તેમ પાપપ્રવૃત્તિથી અટકવાની શક્તિ પણ બધા જીવોમાં એકસરખી નથી હોતી. એટલે કે એક કાળે ઘણાબધા જીવોની સમજવાની અને અટકવાની શક્તિ સમાંતર જ ચાલે એવું નથી. વસ્તુત: એક જીવના જીવનકાળમાં પણ એમાં ચઢઉતર થવાનો સંભવ રહે છે. પરંતુ એટલું નિશ્ચિત છે કે જીવમાં પાપને સમજવાની સાચી દૃષ્ટિ આવી જાય છે ત્યાં જ એવાં પાપોથી અટકવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org