________________
आयंकदंसी न करेइ पावं
૭૯
પ્રવૃત્તિનાં બીજ વવાઈ જાય છે.
પાપને સમજીને ન કરનારા માણસો પણ અધમ, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકારના શાસ્ત્રકારોએ બતાવ્યા છેઃ
राज्यदण्डभयात् पापं नाचरत्यघमो जनः ।
परलोकभयाद् मध्यः स्वभावादेव उत्तमः ।। જે જીવો રાજ્યદંડના ભયથી પાપાચરણ કરતા નથી તે અધમ પ્રકારના છે, જે પરલોકના ભયથી પાપ નથી કરતા તે મધ્યમ પ્રકારના છે. જે જીવો સ્વભાવથી જ પાપ કરતા નથી અથવા પાપ કરવાનો જેમનો સ્વભાવ જ નથી તે ઉત્તમ પ્રકારના છે. આતંકદર્શ જીવો આવા ઉત્તમ પ્રકારના જીવો છે.
જૈન ધર્મ પ્રમાણે, નિશ્ચય નયની દૃષ્ટિએ, તમામ પાપ-પ્રવૃત્તિઓને મુખ્ય બે વિભાગમાં વહેંચી નાખવી હોય તો કહી શકાય કે પાપ બાંધવાનાં મુખ્ય બે સ્થાનક છે : એક રાગ, અને બીજો દ્વેષ. રાગદ્વેષની પરિણતિ એટલે પાપપ્રવૃત્તિ. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છેઃ
जीवाणं दोहिं ठाणेहिं पावकम्मं बंधई,
तं जहा-रागेण चेव, दोसेण चेव। સૂક્ષ્મ નિશ્ચયદૃષ્ટિથી જોઇએ તો જ્યાં રાગની (અને દ્વેષની) પરિણતિ છે ત્યાં પાપ છે. જીવ પોતાના આત્માના સ્વભાવમાંથી નીકળી વિભાવમાં આવે છે ત્યાં રાગદ્વેષની પરિણિત થાય છે. જીવ પોતે જ આતંકદર્શી થાય, અર્થાત્ દુઃખનું સ્વરૂપ સમજે, અને એમ કરતાં સંસારનું સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org