________________
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
વખતે પણ એટલા જ સજાગ, સાવધ રહેવાની જરૂર રહે છે.
કેટલાકને દુઃખ કેટલું વસમું છે એ માત્ર અનુભવથી જ સમજાય છે. જ્યાં સુધી પોતાને એવું કોઈ દુઃખ અનુભવવાનું આવ્યું નથી ત્યાં સુધી બીજાના દુઃખને તેઓ સમજી કે કલ્પી શકતા નથી. બીજાનાં દુઃખ માટે એવા માણસોને સહાનુભૂતિ સુદ્ધાં થતી નથી. તો પછી બીજાનાં દુઃખમાં સહાયરૂપ કે સહભાગી થવાની વાત તો ક્યાંથી હોય?
પાપને પાપરૂપે, તે હેય છે એટલે કે છોડવા યોગ્ય છે એ સ્વરૂપે સમજવાની શક્તિ પણ જીવમાં સહેલાઇથી આવતી નથી.
જ્યાં સુધી અજ્ઞાન છે, મિથ્યાત્વનો ગાઢ અંધકાર છે ત્યાં સુધી તેવા લોકોને પોતે પાપપ્રવૃત્તિ કરતા હોવા છતાં પોતે પાપ કરે છે એવી સમજ હોતી નથી. કોઈ એને સમજાવે તો તે એને સમજાતું નથી અને સમજવું ગમતું નથી. કેટલાક પાપને પાપરૂપે સમજતા હોવા છતાં એને છોડવાની ઇચ્છા નથી ધરાવતા, કારણ કે પાપથી એમને પોતાને લાભ થતો જણાય છે. પાપ છોડવા જેવું નહિ થાય પણ આચરવા જેવું છે એવું એમના મનમાં વસેલું હોય છે. પાપ કરવા માટે તેઓને ક્યારેય કશોય અફસોસ થતો નથી.
જે દુ:ખના સ્વરૂપને સમજે છે તે દુ:ખને ઇચ્છતો નથી. નરકગતિનાં દુ:ખોની વાત બાજુ પર રાખીએ અને ફક્ત આ દૃશ્યમાન ઐહિક જગતનાં દુઃખોનો વિચાર કરીએ, દુઃખી માણસોનું અવલોકન કરીએ તો જીવને માથે કેટલું દુ:ખ ગુજરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org