SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ अणुसासिओ ण कुपिज्जा જરા પગ લંબાવીને બારણાને લાત મારો, એટલે બંધ થઈ જશે.’ થોડી વારે ગુરુએ કહ્યું, ‘ભાઈ, મને તાવ ચડ્યો લાગે છે. જો તો મારું માથું ગરમ થઈ ગયું છે ?' ચેલાએ કહ્યું, ‘મહારાજ, તમારાં બે કામ કરી આપ્યાં. હવે ત્રીજું કામ તમારા હાથે જ કરો, કા૨ણ કે મારો હાથ તમારા માથા સુધી પહોંચી શકશે નહિ. તમારો હાથ તમારી પાસે જ છે.’ ગુરુ મોન રહ્યા, પણ આવા ચેલાને ગુરુ આશીર્વાદ આપે કે મનથી શાપ આપે ? ગુરુ વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા હોય અને એકનો એક જ ચેલો હોય ત્યારે ગુરુએ કેટલી સમતા રાખવી પડે છે તે તો જેમણે અનુભવ્યું હોય તે જ વિશેષ જાણે. માણસ ઉપરીની આજ્ઞામાં હોય અને એમની આજ્ઞા ઉઠાવવા માટે શિસ્તપાલનમાં રહેવું પડે એ એક સર્વસામાન્ય પરિસ્થિતિ છે. પરંતુ જેઓ પોતાના જીવનમાં વિકાસ ક૨વા ચાહે છે તેઓએ તો પોતાની જાતને પોતાનામાં જ વશ રાખવી જોઈએ. ‘આત્માનુશાસન’ અથવા નિજશાસન એ આધ્યાત્મિક વિકાસનું મોટું અને મહત્ત્વનું પગથિયું છે. એ માટે જાત પ્રત્યે કઠોર થવાના પ્રસંગો આવે છે. જે માણસ પોતાની જાત પ્રત્યે કઠોર થઈ શકતો નથી તે જીવનમાં બહુ સિદ્ધિ મેળવી શકતો નથી. પ્રમાદ, આળસ, પ્રલોભનો ૫૨નો વિજય મનુષ્યને વિકાસની દિશામાં ત્વરિત ગતિ કરાવે છે. કોઈપણ એક કાર્યપ્રવૃત્તિ માટે માણસ પોતાનું લક્ષ્ય નક્કી કરે છે. એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એને પુરુષાર્થ કરવો પડે છે. એ પુરુષાર્થમાં જેટલી કચાશ Jain Education International ૧૯૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy