________________
૧૯૬
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
સાચા ગુરુ તો શિષ્યને જ્યારે શિક્ષા કરે ત્યારે તે એના હિત માટે જ હોય. વાત્સલ્યભાવરહિત ગુરુ શિષ્યને શિક્ષા કરવાનો નૈતિક અધિકાર ગુમાવી દે છે.
શિષ્ય પોતે તો ગુસ્સો ન કરવો જોઈએ પણ પોતાના વર્તનથી ગુરુને ગુસ્સો ન કરાવવો જોઈએ. હાથ નીચેના માણસોના ગેરવર્તનથી ઉપરીઓને કે વડીલોને ક્રોધ કરવાના પ્રસંગો વારંવાર આવતા હોય છે. કેટલાક ઇરાદાપૂર્વક આજ્ઞાભંગ કરતા હોય છે. કેટલાક કામચોર કે બુઠ્ઠી બુદ્ધિના અથવા અવળી મતિના હોય છે. અડિયલ ટટ્ટ જેવા અવિનીત શિષ્યોનાં ઉદાહરણો પણ ઘણાં હોય છે. એક વાર એક વૃદ્ધ સંન્યાસી અને યુવાન અવિનીત શિષ્ય એક ગામમાં પહોંચ્યા અને એક ધર્મશાળામાં ઉતર્યા. ગુરુ થાકેલા હતા, શરીર અસ્વસ્થ હતું. બંને સૂઈ ગયા. રાત્રે ગુરુને થયું કે બહાર વરસાદ પડતો લાગે છે. એમણે ચેલાને કહ્યું, “ભાઈ, જરા બહાર જઈને જો તો કે વરસાદ પડે છે ?' ચેલાએ સૂતાં સૂતાં જવાબ આપ્યો, “મહારાજ, બહાર જવાની જરૂર નથી. હમણાં જ એક બિલાડી બહારથી અંદર આવી છે. તમારી પથારી પાસે બેઠી છે. એના શરીર પર હાથ ફેરવો. વરસાદ પડ્યો હશે તો એનું શરીર ભીનું હશે.” થોડીવાર પછી ગુરુએ કહ્યું, ‘ભાઈ, બહારથી ઠંડો પવન આવતો લાગે છે. બારણું અધું ખુલ્લું રહી ગયું લાગે છે. ઊભો થઈને જરા બંધ કરશે?” ચેલાએ કહ્યું, મહારાજ, એ માટે મારે ઊભા થવાની જરૂર નથી, તમે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org